Get The App

વાસ્તુ ટિપ્સ: પૈસા ટકતા નથી? પર્સમાં રાખી લો આ 5 શુભ વસ્તુઓ, ક્યારેય નહીં થાય તંગી!

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
Wallet Vastu Tips
(IMAGE - ENVATO)

Wallet Vastu Tips: શું તમને પણ એવું લાગે છે કે પૈસા આવે તો છે પણ ટકતા નથી? ઘણીવાર આ સમસ્યા પાછળ આપણી નાની-નાની આદતો અને ખાસ કરીને પર્સ સાથે જોડાયેલા વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો પર્સમાં કેટલીક ખાસ વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવે તો ધનનો પ્રવાહ વધી શકે છે અને ખોટા ખર્ચ પર નિયંત્રણ લાવી શકાય છે. 

વાસ્તુ મુજબ પર્સનું આયોજન

આર્થિક ઉન્નતિ માટે વાસ્તુશાસ્ત્ર મુજબ પર્સનું આયોજન ખૂબ જ મહત્ત્વનું છે. આ માટે સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે પર્સ હંમેશા સાફ-સુથરું હોવું જોઈએ, કારણ કે ફાટેલું કે ગંદુ પર્સ જીવનમાં નકારાત્મકતા લાવે છે. આ ઉપરાંત પર્સને ક્યારેય 'સ્ટોર રૂમ' ન બનાવો; તેમાં જૂના બિલ, નકામા કાગળો કે બિનજરૂરી વિઝિટિંગ કાર્ડ રાખવાથી બચવું જોઈએ. વાસ્તુ મુજબ પર્સમાં આવા નકામા સામાનનો ભરાવો કરવાથી આર્થિક અવરોધ ઊભા થાય છે અને ધનનો પ્રવાહ અટકી જાય છે.

ધન વૃદ્ધિ માટે પર્સમાં રાખો આ 5 વસ્તુઓ

આર્થિક સ્થિરતા અને ધન વૃદ્ધિ માટે પર્સમાં 5 શુભ વસ્તુઓ રાખવાની સલાહ આપવામાં આવે છે. ગુરુવારે હળદરથી રંગેલા થોડા અક્ષત(ચોખા) કાગળમાં લપેટીને રાખવાથી ફિજૂલ-ખર્ચી અટકે છે. સોમવારે ચાંદીનો નાનો ચોરસ ટુકડો રાખવાથી સકારાત્મક ઊર્જા મળે છે, જ્યારે શુક્રવારે લક્ષ્મીજીનો નાનો ફોટો રાખવાથી ધન આકર્ષિત થાય છે. આ ઉપરાંત, આવક વધારવા માટે ગુરુવારે ગોમતી ચક્ર અને વેપારમાં પ્રગતિ માટે બુધવારે બે લીલી ઈલાયચી પર્સમાં રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: મંગળનું મહા-પરિવર્તન: મેષ-સિંહ સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, અઢળક ધનલાભના યોગ

રાશિ પ્રમાણે પર્સના રંગની પસંદગી

વાસ્તુ મુજબ પર્સનો રંગ પણ તમારી રાશિ પ્રમાણે હોવો જોઈએ. મેષ, વૃશ્ચિક અને સિંહ રાશિના લોકોએ લાલ કે મરૂન રંગનું પર્સ વાપરવું જોઈએ, જ્યારે વૃષભ અને તુલા રાશિ માટે ગુલાબી કે હળવા રંગો શ્રેષ્ઠ છે. મિથુન અને કન્યા રાશિના લોકો પીળા કે કાળા રંગનું, જ્યારે ધન અને મીન રાશિના જાતકો પીળા, ગોલ્ડન કે બ્રાઉન રંગનું પર્સ રાખી શકે છે. કર્ક રાશિના લોકોએ હળવા રંગો અને મકર-કુંભ રાશિના લોકોએ કાળા રંગના પર્સનો ઉપયોગ કરવો હિતાવહ છે. પર્સ વિશે ખાસ સાવધાની રાખવી કે તેને જાહેર જગ્યાએ વારંવાર ન કાઢવું અને અજાણી વ્યક્તિના હાથમાં ન આપવું, જેથી નજર દોષથી બચી શકાય.

વાસ્તુ ટિપ્સ: પૈસા ટકતા નથી? પર્સમાં રાખી લો આ 5 શુભ વસ્તુઓ, ક્યારેય નહીં થાય તંગી! 2 - image