Get The App

આવી રહી છે વર્ષની સૌથી મોટી અગિયારસ, ભૂલથી પણ ન કરવા જોઈએ આ 7 કામ

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
Nirjala Ekadashi 2025


Nirjala Ekadashi 2025: છઠ્ઠી જૂને વર્ષની સૌથી મોટી નિર્જળા અગિયારસ મનાવાશે. જ્યોતિષીઓનું માનવું છે કે આ દિવસે અમુક ભૂલોથી બચવું જોઈએ.  

1. માન્યતા છે કે અગિયારસે તુલસીજી પણ વ્રત રાખે છે, તેથી તેમને જળ અર્પિત કરવું જોઈએ નહીં. 

2. અગિયારસે ચોખા ખાવાથી બચવું જોઈએ. ચોખામાં જળ તત્વનું પ્રમાણ વધુ હોય છે અને જળ પર ચંદ્રમાનો પ્રભાવ રહે છે. 

3. અગિયારસે તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. લસણ, ડુંગળી, મદિરા જેવા પદાર્થોથી દૂર રહેવું જોઈએ. 

4. અગિયારસે રીંગણ, મસૂરની દાળ, મૂળા ન ખાવાની માન્યતા છે.  

5. આ દિવસે બની શકે તો કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. 

6. આ દિવસે નખ, વાળ, દાઢી ન કરાવવી જોઈએ. પલંગની જગ્યાએ જમીન પર સૂવું સારું મનાય છે. 

7. અગિયારસે ક્રોધથી બચવું જોઈએ તથા કોઈનું અપમાન તથા અપશબ્દો ન બોલવા જોઈએ. 


Tags :