Get The App

નિર્વસ્ત્ર થઇને કદી ના કરશો આ કામ- વિષ્ણુપુરાણ

Updated: Apr 2nd, 2019

GS TEAM


Google News
Google News

માનવ કલ્યાણ માટે વિષ્ણુપુરાણ મુજબ ખાન-પાનથી લઇ વસ્ત્ર ધારણ કરવાના નિયમો બનાવવામાં આવ્યાં છે. પુરાણ કહે છે કે કેટલાક કામો એવા છે જેમાં વસ્ત્ર ના પહેરવા તે એ કામનું અપમાન કરવા સમાન છે. એ જ રીતે પૂજા કરતી વખતે સિવ્યાં વગરના બે જ વસ્ત્ર પહેરવાનું વિધાન છે. આજે એવા કામ વિશે જાણીશું જે નગ્ન થઈને ના જ કરવા જોઈએ.

નિર્વસ્ત્ર થઇને કદી ના કરશો આ કામ- વિષ્ણુપુરાણ 1 - image

નિર્વસ્ત્ર સ્નાન ના કરવુ

વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે માનવીએ સંપૂર્ણ નગ્ન થઇને સ્નાન ના કરવું જોઈએ. ભગવાન કૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર ચોરીને એવો સંદેશ આપ્યો હતો કે સ્નાન કરતી વખતે એકાદ વસ્ત્ર તો શરીર પર હોવું જ જોઈએ.

નિર્વસ્ત્ર થઇને કદી ના કરશો આ કામ- વિષ્ણુપુરાણ 2 - image

નિર્વસ્ત્ર ના સૂવું જોઈએ

નિર્વસ્ત્ર સૂવાથી ચંદ્ર ભગવાનનું અપમાન થાય છે. સાથે જ રાતે પિતૃગણ પોતાના સ્વજનોને જોવા આવે છે ત્યારે તમને આવી અવસ્થામાં જોઈને એમને બહુ દુ:ખ થાય છે, તેઓ આશીર્વાદ આપ્યાં વિના પાછા ફરે છે. કહેવાય છે કે આ રીતે સૂવાથી નકારાત્મક શક્તિઓ તમારા પર હાવિ થઇ જાય છે.

નિર્વસ્ત્ર થઇને કદી ના કરશો આ કામ- વિષ્ણુપુરાણ 3 - image

નિર્વસ્ત્ર થઇને પૂજા ના કરવી

કેટલાક લોકો ભગવાનની પૂજા નિર્વસ્ત્ર થઇને કરે છે. આ અંગે વિષ્ણુપુરાણમાં કહેવાયુ છે કે પૂજા કે યજ્ઞમાં સિવ્યા વિનાના કપડાં પહેરવા જોઈએ. સિલાઈ સાંસારિક મોહ-માયાનું પ્રતીક છે. પૂજા બધા બંધનોથી અલગ થઇને કરવી જોઈએ.

Tags :