Get The App

Mokshada Ekadashi 2024: મોક્ષદા એકાદશી પર આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા, જાણો શુભ મુહૂર્ત

Updated: Dec 11th, 2024

GS TEAM

Google News
Google News
Mokshada Ekadashi 2024: મોક્ષદા એકાદશી પર આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા, જાણો શુભ મુહૂર્ત 1 - image

Mokshada Ekadashi 2024: માગશર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે. આ મોક્ષ પ્રાપ્તિનો દિવસ કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે, અને દાન કરવાથી અનેકગણું ફળ મળે છે. આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત 11મી ડિસેમ્બર એટલે કે આજે મનાવવામાં આવશે. આવો અમે તમને તેની પૂજા પદ્ધતિ અને શુભ સમય જણાવીએ.

મોક્ષદા એકાદશી તિથિ

હિંદુ પંચાંગ પ્રમાણે માગશર મહિનાની એકાદશી તિથિ 11 ડિસેમ્બરના રોજ સવારે 3:42 વાગ્યે શરુ થશે અને 12 ડિસેમ્બરે સવારે 1:09 વાગ્યે સમાપ્ત થશે. ત્યારે મોક્ષદા એકાદશીનું વ્રત 11 ડિસેમ્બરે જ માન્ય છે. જ્યારે તેની પૂર્ણાહુતિ 12 ડિસેમ્બરે સવારે 7થી 9.09 દરમિયાન કરી શકાશે.

આ પણ વાંચો : બાબા વેંગાની વર્ષ 2025 માટે ડરામણી ભવિષ્યવાણી, જાણો શું થવાનું છે આગામી વર્ષમાં

મોક્ષદા એકાદશીમાં પૂજા કરવાની રીત

મોક્ષદા એકાદશીના દિવસે સવારે સૌપ્રથમ સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. આ પછી પીળા વસ્ત્રો પહેરો અને ભગવાન કૃષ્ણની પૂજા કરો. શ્રી કૃષ્ણને પીળા ફૂલ, પંચામૃત અને તુલસીના પાન અર્પણ કરો. આ પછી, ભગવાન કૃષ્ણના મંત્રોનો જાપ કરો અથવા ગીતાનો પાઠ કરો.

મોક્ષદા એકાદશી પર શું કરવું અને શું ન કરવું, જાણો વ્રતના નિયમો અને પૂજા પદ્ધતિ

મોક્ષદા એકાદશીની સાંજની કથા સાંભળો અને સાંજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસાદ ચઢાવીને આરતી કરો. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને કપડાં અથવા ભોજનનું દાન કરો. મોક્ષદા એકાદશી પર નિર્જલ ઉપવાસ કરવાનું શ્રેષ્ઠ છે.

મોક્ષદા એકાદશીના નિયમો

એકાદશીની સાંજે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ. રાત્રે ભગવાનનું ધ્યાન કર્યા પછી અથવા મંત્રોચ્ચાર કર્યા પછી જ સૂઈ જાઓ. જો તમે એકાદશીનો ઉપવાસ કરી રહ્યા છો, તો તમારું મન શાંત અને સ્થિર રાખો. ક્રોધ કે બદલાની લાગણીઓ ન રાખો. આ દિવસે ભૂલથી પણ કોઈને ખરાબ ન બોલો.

મોક્ષદા એકાદશીના દિવસે ભોજન ટાળો. સાંજની પૂજા પછી ફળો ખાઈ શકાય. જો તમે મોક્ષદા એકાદશીનું વ્રત ન રાખો તો પણ ઓછામાં ઓછું ભાત બિલકુલ ન ખાઓ. આ દિવસે રાત્રે જાગરણ કરો. ભજન-કીર્તન કરો. દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી જ તમે ભોજન કરી શકો છો.