શનિના નક્ષત્રમાં બુધની એન્ટ્રી, આગામી 10 દિવસ આ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી!
Image: Freepik |
Astrology: ગ્રહોનો રાજકુમાર બુધ 25 જૂને સવારે 05:08 વાગ્યે પુષ્ય નક્ષત્રમાં ગોચર કરી અને 6 જુલાઈ સુધી આ નક્ષત્રમાં રહેશે. શનિ પુષ્ય નક્ષત્રનો સ્વામી છે. બુધને વાણી, વ્યવસાય અને બુદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે. બુધના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓના જાતકોને ધન અને કારકિર્દીમાં વૃદ્ધિ જોવા થશે. આ સમયગાળા દરમિયાન, આ રાશિના જાતકો વ્યવસાયની દ્રષ્ટિએ પણ સારી સ્થિતિમાં રહેશે. જાણો બુધના પુષ્ય નક્ષત્ર ગોચરથી કઈ રાશિના જાતકોને સારા પરિણામ મળશે.
કઈ રાશિના જાતકોને થશે લાભ?
વૃષભઃ બુધના પુષ્ય નક્ષત્ર ગોચરને કારણે, વૃષભ રાશિના જાતકોને નાણાંકીય અને વ્યવસાયમાં લાભ મળવાની અપેક્ષા છે. તમે આ સમયે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો. જો તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમય અનુકૂળ રહેશે અને પૈસા આવશે. તમને નોકરીમાં તમારી ક્ષમતા બતાવવાની તકો મળશે.
આ પણ વાંચોઃ ત્રણ દિવસ બાદ શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
તુલાઃ બુધ નક્ષત્રનું ગોચર તુલા રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. આ સમય દરમિયાન તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે. ઓફિસમાં તમારા પ્રદર્શનની પ્રશંસા થઈ શકે છે. નોકરી કરતા લોકોને આવકમાં વધારો થવાની સાથે પ્રમોશન પણ મળી શકે છે.
કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે બુધનું શનિ નક્ષત્રમાં ગોચર શુભ રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન, તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. ઉદ્યોગપતિઓને ભાગીદારીથી ફાયદો થવાની સંભાવના છે. વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન રહેશે અને સંબંધો મજબૂત બનશે.
મકરઃ બુધનું પુષ્ય નક્ષત્ર ગોચર મકર રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન, તમને તમારી યોજનાઓમાં સફળતા મળશે. ઉદ્યોગપતિઓને નાણાંકીય લાભ મળશે. આ સમય દરમિયાન તમારા બેંક બેલેન્સમાં વધારો થશે. તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે આ સમય ખાસ રહેવાનો છે.