Astro

મંગળની મહાદશા જીવન પર કેવી રીતે નકારાત્મક અસર કરે? જાણીતી એક્ટ્રેસે જણાવ્યું

By GS TEAM
19 Jul 20251 min read
TukuTouch Logo
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શ્રુતિ હાસન પોતાની તસવીરો અને લુક્સને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ શ્રુતિ હાસને બોલિવૂડ ફિલ્મોની સાથે-સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હવે તાજેતરમાં જ એક પોડકાસ્ટ દરમિયાન શ્રુતિ હાસને સ્પિરિચ્યુઆલિટી અને આધ્યાત્મિકતા પર ખુલ્લીને વાત કરી. શ્રુતિ હાસને જણાવ્યું કે, હાલમાં મારી પર મંગળની મહાદશા ચાલી રહી છે, જેને જ્યોતિષમાં ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મંગળની મહાદશા જીવન પર કેવી રીતે નકારાત્મક અસર કરે? જાણીતી એક્ટ્રેસે જણાવ્યું

Mangal Mahadasha: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શ્રુતિ હાસન પોતાની તસવીરો અને લુક્સને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ શ્રુતિ હાસને બોલિવૂડ ફિલ્મોની સાથે-સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હવે તાજેતરમાં જ એક પોડકાસ્ટ દરમિયાન શ્રુતિ હાસને સ્પિરિચ્યુઆલિટી અને આધ્યાત્મિકતા પર ખુલ્લીને વાત કરી. શ્રુતિ હાસને જણાવ્યું કે, હાલમાં મારી પર મંગળની મહાદશા ચાલી રહી છે, જેને જ્યોતિષમાં ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તો આજે અમે તમને મંગળની મહાદશા શું છે અને તેનાથી બચવાના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

મંગળની મહાદશા 7 વર્ષ સુધી ચાલે છે

વૈદિક જ્યોતિષ પ્રમાણે મંગળની મહાદશા લગભગ 7 વર્ષ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે પણ કુંડળીમાં મંગળ ભારે હોય છે તો વ્યક્તિને જીવનમાં ભારી સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યારે પણ મંગળની મહાદશા કોઈના જીવન પર પડે છે, ત્યારે વ્યક્તિના જીવનમાં લગ્ન સાથે સબંધિત મુશ્કેલી, વિવાદો અને આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે. આ ઉપરાંત મંગળની મહાદશા વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે અને તે કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત પણ હોય છે.

મંગળને મજબૂત કરવાના ઉપાય

મંગળની મહાદશાની નકારાત્મક અસરને ઘટાડવા માટે મંગળવારે વ્રત રાખવાનું શરૂ કરો. આ ઉપરાંત મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવો અને રોજ સવાર-સાંજ રામ રક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય કરો.