Get The App

પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં મંગળનું થશે ગોચર, 30 જૂનથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં મંગળનું થશે ગોચર, 30 જૂનથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે 1 - image


Image Source: Freepik

Mangal Gochar 2025: વૈદિક જ્યોતિષ પ્રમાણે જૂન મહિનો ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ મહિનામાં બુધ, સૂર્ય અને શુક્ર રાશિનું પરિવર્તન થશે, જેની અસર 12 રાશિના જાતકો પર પડશે. આ સાથે જ ગ્રહોના સેનાપતિ મંગળ પણ ગોચર કરવા જઈ રહ્યો છે, જે કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. પંચાગ પ્રમાણે આ મહિનાનો અંત મંગળ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી થશે. હાલમાં મંગળ મઘા નક્ષત્રમાં વિરાજમાન છે, જે 30 જૂન 2025ના રોજ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. 

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ઉર્જા, પરાક્રમ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મંગળના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. આ સાથે જ સુખ-સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. ચાલો જાણીએ કે મંગળનું નક્ષત્ર પરિવર્તન કઈ રાશિના જાતકો માટે લકી સાબિત થઈ શકે છે. 

મેષ રાશિ

મંગળનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. તમાકા જૂના અટકેલા કામો પૂર્ણ થશે. બિઝનેસમાં સકારાત્મક બદલાવ થઈ શકે છે, જેનાથી કાર્યોમાં ગતિ આવશે. મોટા લક્ષ્ય હાંસલ થશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે મંગળનું નક્ષત્ર પરિવર્તન શુભ રહેશે. તમે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થશો. આવકના નવા સ્ત્રોત બની શકે છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. 

આ પણ વાંચો: બે દિવસ પછી ચંદ્રમા-રાહુની યુતિ, આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ સમય આર્થિક દ્રષ્ટિકોણથી શુભ રહેશે. રોકાણથી લાભ મળી શકે છે. વ્યવસાયમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે. રોકાયેલા પૈસા પાછા મળી શકે છે. 

Tags :