મકર સંક્રાંતિ પર જરૂર બનાવો આ પ્રસાદ, પુણ્યની સાથે મળશે સ્વાસ્થ્યનું પણ વરદાન
અમદાવાદ, તા. 12 જાન્યુઆરી 2020 રવિવાર
હિન્દુઓના પ્રમુખ તહેવારોમાંથી એક મકર સંક્રાંતિ આ વર્ષે 15મી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. હિંદૂ ધર્મ શાસ્ત્રો અનુસાર જો કોઇ વર્ષ મકર સંક્રાંતિનો પર્વ સાંજે પડે છે તો આગલા દિવસે ઉજવવામાં આવે છે. આ કારણે આ વર્ષે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.
મકર સંક્રાંતિના દિવસે દાન-પુણ્યનો મહાપર્વ પણ માનવામાં આવે છે. આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર આ દિવસે દાન કરનાર વ્યક્તિને વિશેષ ફળ આપે છે.
આવો જાણીએ મકર સંસ્ક્રાંતિના મુહૂર્ત, દાન-પુણ્ય અને પ્રસાદ સાથે જોડાયેલા કેટલા ખાસ નિયમ
મકર સંક્રાંતિના શુભ મુહૂર્ત
મકર સંક્રાંતિ 2020-15 જાન્યુઆરી
સંક્રાંતિ કાળ 07:19 વાગ્યે (15 જાન્યુઆરી)
પુણ્યકાળ 07:19થી 12:31 વાગ્યે સુધી
મહાપુણ્યકાળ 07:19થી 09:03 વાગ્યે સુધી
સંક્રાંતિ સ્નાન વહેલી સવારે, 15 જાન્યુઆી 2020
તલ-ગોળના લાડુ અને પકવાન
શિયાળાની સિઝનમાં વાતાવરણ ઘણું નીચુ રહે છે. જેના કારણે શરીરને કેટલાય રોગ ઘેરવા લાગે છે. એવામાં આ દિવસે ગોળઅને તલથી બનેલી વસ્તુઓ ખાવાનું અને વેચવામાં આવે છે. તલ અને ગોળ શરીરમાં ગરમી પેદા કરવાની સાથે કેટલાય પોષક તત્વ પણ પ્રદાન કરે છે. ઉત્તર ભારતમાં આ દિવસે ખીચડીનો પ્રસાદ બનાવામાં આવે છે. ખીચડીના પ્રસાદની સાથે આ દિવસે તલ-ગોળ, રેવડી, ગજકનો પ્રસાદ પણ વેચવામાં આવે છે.
મકર સંક્રાંતિનું મહત્વ
કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન સુર્ય પુત્ર શનિદેવ સાથે ચાલી રહેલી નારાજગી ભૂલી સ્વંય તેમના ઘરે ગયા હતા. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પુજા વગેરે કરવાથી વ્યક્તિનો પુણ્ય પ્રભાવ અનેકગણો વધી જાય છે. આ દિવસે કમુરતા ઉતરી જાય છે. આ દિવસે સુખ અને સ્મૃદ્ધીનો દિવસ માનવામાં આવે છે.
મકર સંક્રાંતિ પર કરો આ વસ્તુનું દાન
મકર સંક્રાંતિના દિવસે ગરીબ અને જરૂરીયતમંદ લોકોને દાન કરવાથી પુણ્ય મળે છે. આ દિવસે ખીચડીનું દાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે તમામ શુભ કાર્ય પર લાગેલા પ્રતિબંધ પણ પુરા થઇ જાય છે.