Get The App

મહાકાલની આરતી સમયે હજારો પક્ષીઓ મંદિરની કરે છે પરિક્રમા

Updated: Apr 4th, 2019

GS TEAM


Google News
Google News
મહાકાલની આરતી સમયે હજારો પક્ષીઓ મંદિરની કરે છે પરિક્રમા 1 - image


ઉજ્જૈન, 4 એપ્રિલ 2019, ગુરુવાર

જે જીવને ઈશ્વરનો સાક્ષાતકાર થાય છે તેને પ્રભુની આરાધના કરવા માટે સ્થૂળ પદાર્થોની જરૂર પડતી નથી. ઈશ્વરની ભક્તિ માત્ર મનુષ્ય કરી શકે તેવું નથી. પરમકૃપાળુ પરમાત્માની ભક્તિ પશુપક્ષી પણ કરી શકે છે.

પ્રભુભક્તિ કરવા માટે મનુષ્ય હોવું જરૂરી નથી. આ વાત ઉજ્જૈનના મહાકાલ મંદિરના દર્શન કરવાથી સમજી શકાય છે. અહીં રોજ એક અદ્ભુત નજારો જોવા મળે છે. અહીં ભગવાનની આરતી સમયે હજારો પક્ષીઓ મંદિરની પરિક્રમા કરતા જોવા મળે છે. 

ભારતમાં આવેલા જ્યોતિર્લિંગમાં ઉજ્જૈનના મહાકાલેશ્વરનો સમાવેશ થાય છે. શિવભક્તો અહીં દૂર દૂરથી દર્શન કરવા આવે છે. આ મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર મહાકાલની ભસ્મ આરતી છે. આ દર્શન કરવા માટે મંદિરમાં ભક્તોની ભીડ જામે છે.

જોકે ભગવાનની આરતીનો લાહ્વો અહીં પક્ષીઓ પણ લે છે.  જી હાં જ્યારે મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની આરતી શરૂ થાય છે અને મંદિર બહાર આકાશમાં પક્ષીઓ આવી પહોંચે છે અને મંદિરની પરિક્રમા કરે છે. આ પક્ષીઓ હજારોની સંખ્યામાં હોય છે.

Tags :