Get The App

રાત્રે 9.57થી ચંદ્રગ્રહણ: ગ્રહણ પહેલા અને પછી શું કરવું? જાણો નિયમો

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
રાત્રે 9.57થી ચંદ્રગ્રહણ: ગ્રહણ પહેલા અને પછી શું કરવું? જાણો નિયમો 1 - image

Chandra Grahan 2025: જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણ એક મહત્ત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આજે રાત્રે એટલે કે 7મી સપ્ટેમ્બર, 2025ના રોજ ભાદરવા સુદ પૂનમે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે, જે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ ચંદ્રગ્રહણ પહેલા અને પછી શું કરવું તેમજ શું ન કરવું તે જાણીએ. 

આ પણ વાંચો: શ્રાદ્ધ પક્ષ 2025: આવતીકાલથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ

ખગોળીય ગણતરી મુજબ, આ ગ્રહણ રાત્રે 21.57 કલાકે શરૂ થશે અને તેનો મોક્ષ રાત્રે 25.26  (એટલે કે બીજા દિવસે સવારે 1.26  કલાકે) થશે. ગ્રહણનો વેધ બપોરના 12.57 કલાકથી શરૂ થશે. આ ગ્રહણ કુંભ રાશિ અને શતતારા નક્ષત્રમાં થવાનું હોવાથી તેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે.

રાત્રે 9.57થી ચંદ્રગ્રહણ: ગ્રહણ પહેલા અને પછી શું કરવું? જાણો નિયમો 2 - image

સૂતક કાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે?

સૂતક શરૂ થશે: 7 સપ્ટેમ્બર 2025, બપોરે 12.57 વાગ્યે

સુતક સમાપ્ત થશે: 8 સપ્ટેમ્બર 2025, રાત્રે 1.27 વાગ્યે

સૂતક કાળ દરમિયાન શું ન કરવું જોઈએ?

  • સૂતક કાળને અશુદ્ધ સમય માનવામાં આવે છે અને આ સમય દરમિયાન ઘણા ધાર્મિક નિષેધ લાગુ પડે છે. આ સમય એવો છે જ્યારે વ્યક્તિએ પોતાના આચરણ અને દિનચર્યા પર ખાસ સંયમ રાખવો જોઈએ.
  • ખોરાક અને પાણીનું સેવન ન કરવું જોઈએ.
  • વાળ અને નખ કાપવા જોઈએ નહીં.
  • લગ્ન, મુંડન કે ગૃહસ્થી જેવા કોઈ ધાર્મિક કે શુભ કાર્ય ન કરવા જોઈએ.
  • મંદિરોના દરવાજા બંધ રાખવા જોઈએ.
  • ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન ખાસ સાવચેતી રાખવી જોઈએ, જેમ કે છરી, કાતર, સોય જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો.
  • મોબાઇલ, ટીવી પર મનોરંજન ટાળવાની પણ સલાહ આપવામાં આવે છે.
  • જોકે, બીમાર, વૃદ્ધો અને બાળકોને આ નિયમોમાંથી થોડી છૂટ આપવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે આ નિયમોનું પાલન આધ્યાત્મિક રીતે સારું માનવામાં આવે છે.

સૂતક કાળ દરમિયાન શું કરવું 

  • ઓમ નમઃ શિવાય, ઓમ ગણ ગણપતયે નમઃ જેવા મંત્રોનો જાપ કરો.
  • સંતાન રક્ષા મંત્ર અથવા વિશેષ શાંતિ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ.
  • ગીતા, રામચરિતમાનસ અથવા દુર્ગા ચાલીસા જેવા ધાર્મિક ગ્રંથોનો પાઠ કરો.
  • શક્ય હોય તો મૌન પાળો અને માનસિક જપ કરો.
  • નકારાત્મક વિચારોથી દૂર રહો અને સકારાત્મક વિચારોનું ચિંતન કરો.

ગ્રહણ સમાપ્ત થયા પછી શું કરવું જોઈએ?

  • સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.
  • ઘર અને પૂજાના સ્થળની સફાઈ કરો.
  • ભગવાનને ભોજન અર્પણ કરો અને દીવો પ્રગટાવો.
  • બચેલા ખોરાકનો ત્યાગ કરો. ગ્રહણ પહેલાં તેમાં તુલસી કે કુશના પાન ઉમેરવામાં આવ્યા હોય તો જ તે ખાઓ.
  • જરૂરિયાતમંદોને અન્ન, કપડાં કે દક્ષિણાનું દાન કરો.

ગ્રહણ રાશિફળ

મેષ: વ્યવહાર અને વ્યવસાયમાં અનુકૂળતા રહેશે. કોઈ લાભની આશા ફળી શકે છે.

વૃષભ: સુખ અને શાંતિમાં વધારો થશે. પોતાના મનની ઈચ્છા પૂરી થાય તેવી કોઈ તક પણ મળી શકે છે.

મિથુન: સ્વમાન જાળવવામાં ક્યાંય જીદ્દી ન થવાય તેનું ધ્યાન રાખવું. જેટલા સરળ બનશો તેટલું સારું રહેશે.

કર્ક: કોઈ અચાનક સારા સમાચાર કે તક મળી શકે છે. મુસાફરી પણ થઈ શકે છે. ધીરજ રાખવી.

સિંહ: જાહેર જીવનમાં તમારા કોઈ કાર્યની નોંધ લેવાશે. કોઈની સાથે દલીલ ન કરવી.

આ પણ વાંચો: 7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય

કન્યા: પરિચિતો સાથે સુમેળ વધશે. કોઈ પસંદગીની વાત સાંભળવા મળી શકે છે.

આ પણ વાંચો: ચંદ્રગ્રહણ પછી કરો 2 વસ્તુઓનું દાન, બૅન્ક બેલેન્સમાં થવા લાગશે વધારો!

તુલા: મતભેદથી બચવું. વધુ પડતા માનસિક વિચારોથી દૂર રહેવું, જેથી શાંતિનો અનુભવ થાય.

વૃશ્ચિક: વાતચીત નિયંત્રણમાં રાખવાથી પરિસ્થિતિ હળવી રહેશે. મોજશોખ પર નિયંત્રણ રાખવું.

ધન: અટકેલા નાણાં કે કામ અંગે પ્રયત્ન કરવાથી લાભ સંભવિત છે. મુલાકાતો વધી શકે છે.

મકર: ધીરજ અને અનુભવથી કામ કરવાથી લાભ થશે. વ્યવહારુ અભિગમ સારો રહેશે.

કુંભ: સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી લાભ અપાવશે. ધીરજ અને પરિશ્રમ સારું ફળ આપશે.

મીન: વાતચીત અને વ્યવહારમાં જેટલું ધ્યાન આપશો તે મુજબ ફળ પ્રાપ્ત થશે. શાંતિ જાળવવી.