જાણો, પુરાણોના પ્રકાર અને તેની 10 ખાસ વાતો
- સંપૂર્ણ પુરાણો વાંચ્યા અને તેને સમજ્યા વગર તેના વિશે કંઇ પણ કહેવું યોગ્ય નથી
નવી દિલ્હી, તા. 15 જૂન 2020, સોમવાર
પુરાણોને લઇને કેટલીક ભ્રામક વાતો ફેલાઇ ગઇ છે અને તેનો કેટલાક લોકો વિરોધ પણ કરે છે. અંગ્રેજીના મિથ શબ્દના કારણે ખૂબ જ ભ્રમણા ફેલાઇ છે અને આ શબ્દના કારણે પુરાણોનું અપ્રમાણિક સ્વીકાર કરવાની પ્રથા વધી છે. સંપૂર્ણ પુરાણને વાંચ્યા અને તેને સમજ્યા વગર તેના વિશે કંઇ પણ કહેવું યોગ્ય નથી. સમય સાથે ભાષા બદલાઇ છે તો પુરાણમાં પણ કેટલાક ફેરફાર પણ થયા છે.
પુરાણોની સંખ્યા અઢાર છે : વિષ્ણુ, પદ્મ, બ્રહ્મ, શિવ, ભાગવત, નારદ, માર્કન્ડેય, અગ્નિ, બ્રહ્મવૈવર્ત, લિંગ, વારાહ, સ્કંદ, વામન, કૂર્મ, મત્સ્ય, ગરૂડ, બ્રહ્માંડ અને ભવિષ્ય
પુરાણોની જેમ ઉપપુરાણ
ગણેશ પુરાણ, નૃસિંહ પુરાણ, કલ્કિ પુરાણ, એકામ્ર પુરાણ, કપિલ પુરાણ, દત્ત પુરાણ, શ્રીવિષ્ણુધર્મોત્તર પુરાણ, મુગ્દગલ પુરાણ, સનત્કુમાર પુરાણ, શિવધર્મ પુરાણ, આચાર્ય પુરાણ, માનવ પુરાણ, ઉશ્ના પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, મહેશ્વર પુરાણ, સામ્બ પુરાણ, સૌર પુરાણ, પરાશર પુરાણ, મરીચ પુરાણ અને ભાર્ગવ પુરાણ. હરિવંશ પુરાણ, સૌરપુરાણ અને પ્રજ્ઞા પુરાણ પણ સામેલ છે.
પુરાણોની 10 ખાસ વાતો :
1. પુરાણનો અર્થ : પુરાણ શબ્દ 'પુરા' તેમજ 'અણ' શબ્દોની સંધિથી બનતો શબ્દ છે. પુરાનો અર્થ છે - પ્રાચીન અને અણનો અર્થ થાય છે કહેવું અથવા જણાવું. પુરાણનો શાબ્દિક અર્થ છે - જૂની કથા અથવા પ્રાચીન કથા. પુરાણોમાં પ્રાચીન ભારતના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે.
2. પુરાણોના પાંચ લક્ષણ :-
सर्गश्च प्रतिसर्गश्च वंशो मन्वंतराणि च ।
वंशानुचरितं चैव पुराणं पंचलक्षणम् ॥
1. સર્ગ (સૃષ્ટિ), 2. પ્રતિસર્ગ (પ્રલય, પુનર્જન્મ), 3. વંશ (દેવતા તેમજ ઋષિ) 4. મન્વન્તર (ચૌદ મનુનો કાળ) અને 5. વંશાનુચરિત (સૂર્ય ચંદ્ર વંશીય ચરિત).
3. સ્મૃતિ ગ્રંથ છે પુરાણ : વેદ હિન્દુઓનો એકમાત્ર ધર્મગ્રંથ છે, જેને શ્રુતિ કહેવામાં આવે છે અને પુરાણ હિન્દુઓના પ્રાચીન કાળનો ઇતિહાસ છે, જેને સ્મૃતિ ગ્રંથ કહેવામાં આવે છે. બધા પુરાણ વેદ વ્યાસે નથી લખ્યા કેટલાક પુરાણ ઋષિ પરાશર સહિત અન્ય ઋષિઓએ પણ લખ્યુ છે.
4. ભવિષ્ય અને કલ્કિ પુરાણ : બંને પુરાણોમાં મધ્યકાળથી જ વિવાદ રહ્યો છે. ભવિષ્ય પુરાણમાં કલિકાળના રાજાઓમાં મગધના મૌર્ય રાજાઓ તથા ગુપ્તવંશના રાજાઓનો ઉલ્લેખ મળે છે અને આગળ વિક્ટોરિયા રાજ હોવા સુધીની ભવિષ્યવાણી જાણવા મળે છે, તેનાથી સિદ્ધ થાય છે કે આ પુરાણોમાં તેમનો વંશવેલો જોડવામાં આવ્યો હતો અથવા તો આ પુરાણ તે કાળમાં જ લખવામાં આવ્યો હશે. વિષ્ણુ પુરાણમાં પણ 'ભવિષ્ય રાજવંશ'ના અંતર્ગત ગુપ્તવંશના રાજાઓ સુધીનો ઉલ્લેખ છે.
જાવા પાસેના બાલી ટાપૂ પર હિન્દૂઓ પાસેથી એક બ્રહ્માંડ પુરાણ મળે છે. આ હિન્દૂઓના પૂર્વજ ઇસાની પાંચમી શતાબ્દીમાં ભારતવર્ષમાં ભૂતપૂર્વ ટાપુમાં જઇને વસવાટ કરતા હતા. બાલીવાળા બ્રહ્માંડપુરાણમાં 'ભવિષ્ય રાજવંશ પ્રકરણ' નથી તેમાં જન્મેજયના પ્રપૌત્ર અધિસીમકૃષ્ણ સુધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાથી સિદ્ધ થાય છે કે વિષ્ણુપુરાણમાં ગુપ્તવંશ પછીના રાજવંશો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ એતો સાબિત થઇ ગયું કે તેનો બાકી હિસ્સો પ્રાચીન છે એટલે કે મહાભારત કાળનો જ છે.
5. સૌથી પ્રાચીન પુરાણ : અભ્યાસકર્તાઓ પુરાણોમાં સૌથી જૂનો પુરાણ બ્રહ્મ પુરાણ અને વિષ્ણુ પુરાણને માને છે કારણ કે પુરાણનું પાંચમું લક્ષણ પણ તેની પર યોગ્ય રીતે બેસે છે. આ પુરાણ બાદ મત્સ્ય પુરાણ, સ્કંદ પુરાણ અને વરાહ પુરાણની પ્રતિષ્ઠા છે. ત્યારબાદ શિવ અને દેવીભાગવત પુરાણ. કેટલાક લોકોનું કહેવું છે કે વાયુપુરાણ જ શિવપુરાણ છે.
6. પહેલા એક જ મહાપુરાણ હતો : મત્સ્યપુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે પહેલા પુરાણ એક જ હતો, તેમાંથી 18 પુરાણ થયા (53/4). શિવપુરાણ અંતર્ગત રેવા માહાત્મ્યમાં લખ્યુ છે કે અઢાર પુરાણોના વક્તા મત્યવતીસુત વ્યાસ છે.
બ્રહ્માંડ પુરાણમાં લખ્યુ છે કે વેદવ્યાસે એક પુરાણસંહિતાનું સંકલન કર્યુ હતુ. તેની આગળની વાત વિશેની માહિતી વિષ્ણુ પુરાણમાંથી મળે છે. તેમાં લખ્યું છે કે વ્યાસના એક રોમ હર્ષણ નામના એક શિષ્ય હતા જે સૂત જાતિનો હતો. વ્યાસજીએ પોતાની પુરાણ સંહિતા તેના જ હાથમાં આપી હતી. રોમ હર્ષણના છ શિષ્ય હતા : - સુમિત, અગ્નિવર્ચા, મિત્રયુ, શાંશપાયન, અકૃતવ્રણ અને સાવર્ણી. તેમાંથી અકૃત- વ્રણ, સાવર્ણી અને શાંશપાયને રોમ હર્ષણ પાસેની પુરાણસંહિતાના આધારે એક બીજી સંહિતાની રચના કરી હતી. વેદવ્યાસે જે પ્રકારે મંત્રોનું સંગ્રહ કરીને તેમનું સંહિતામાં વિભાગ દર્શાવ્યા હતા તે પ્રકારે પુરાણના નામેથી પ્રચલિત વૃત્તોનું સંગ્રહ કરીને પુરાણસંહિતાનું સંકલન કરવામાં આવ્યું. આ એક સંહિતાને લઇને સુતના શિષ્યોએ ત્રણ બીજી સંહિતાની રચના કરી. આ સંહિતાઓને આધારે જ 18 પુરાણોની રચના થઇ હશે..
જો કે આ તથ્ય તો સાબિત થઇ ગયું છે કે પુરાણોની રચના મહાભારત કાળમાં પરાશર મુની, તેમના પુત્ર વેદ વ્યાસ અને તેમના શિષ્યો પૈલ, જૈમિન, વૈશમ્પાયન, સુમન્તમુનિ અને રોમ હર્ષણે મળીને કરી હતી. ત્યારબાદ શિષ્યોની પરંપરાએ આ વેદ અને પુરાણને બૌદ્ધ યુગ સુધી જીવિત રાખ્યા હતા.
7. શ્રીમદ ભાગવત પુરાણનો સૌથી વધારે પ્રચાર : પુરાણોમાં શ્રીમદ ભાગવાત પુરાણનો જ પ્રચાર સૌથી વધારે થયો છે કારણ કે તેમાં ભક્તિના માહાત્મય અને શ્રીકૃષ્ણ લીલાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં 12 સ્કંધોમાં બધા પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે.
8. પુરાણોની કથાના કેન્દ્ર અલગ-અલગ પરંતુ કથા એક જ છે
શૈવ પંથીઓએ શિવને આધાર બનાવીને, વૈષ્ણવ પંથિઓએ વિષ્ણુને આધાર બનાવીને શાક્તોએ શક્તિને આધાર બનાવીને, એકેશ્વરવાદીઓએ નિરાકાર ઇશ્વરને આધાર બનાવીને અને કૃષ્ણ ભક્તોએ કૃષ્ણને આધાર બનાવીને સૃષ્ટિની ઉત્ત્પતિ, માનવ ઇતિહાસ, પરંપરા, ધર્મ અને દર્શનની વિસ્તૃત માહિતી આપી છે.
9. પુરાણોમાં ઇતિહાસની સાથે-સાથે જ આયુર્વેદ, યોગ, પાકકળા સહિત કેટલીય કળાઓ, વ્યાકરણ, રસ, નૃત્ય, સંગીત, અલંકાર, શસ્ત્ર વિદ્યા વગેરે અનેક વિષયોનું વર્ણન પણ મળે છે.
10. વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુના તમામ અવતારની કથા છે તો શિવ પુરાણમાં શિવ અને તેમના અવતારો તેવી જ રીતે દેવી ભાગવત પુરાણમાં ભગવતીના તમામ અવતારોનું વર્ણન મળશે. શ્રીમદ ભાગવત પુરાણમાં શ્રીકૃષ્ણને જ આધાર બનાવીને સંપૂર્ણ સૃષ્ટિ અને તેમની લીલાઓનું વર્ણન મળશે. આ પ્રકારે અન્ય પુરાણોમાં અન્ય દેવી અને દેવતાઓનું વર્ણન મળે છે. હકીકતમા આ ભારતનો પ્રાચીન ઇતિહાસ છે. ગરુડ પુરાણમાં જીવન, મૃત્યુ, જ્ઞાન, મોક્ષ અને સતકર્મની વાતો છે તો ભવિષ્ય પુરાણમાં ભવિષ્યની વાતો છે. તે જ પ્રકારે કલ્કિ પુરાણમાં આવનાર કલ્કિ અવતારનું સંપૂર્ણ જીવન ચરિત વિશે ઉલ્લેખ કરવામાં આવ્યું છે.