Get The App

ઘરમાં રાખો માટીના વાસણ, ચમકી ઉઠશે તમારું ભાગ્ય

- જાણો, માટીના વાસણ ઘરમાં રાખવાથી કેવા પ્રભાવ પડે છે?

Updated: May 4th, 2018

GS TEAM


Google News
Google News
ઘરમાં રાખો માટીના વાસણ, ચમકી ઉઠશે તમારું ભાગ્ય 1 - image
અમદાવાદ, તા. 04 મે 2018, શુક્રવાર 
 
વાસ્તુશાસ્ત્રમાં માટીમાંથી બનેલી વસ્તુઓને શુભ માનવામાં આવે છે. ઘરમાં રાખેલા માટીના વાસણો પણ તમારા ભાગ્યાના દ્વાર ખોલી શકે છે. માટીના વાસણ, દીવો અથવા મૂર્તિઓને ઘરમાં રાખવાથી અઢળક લાભ થાય છે. 
 
માટીની વસ્તુને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ રહે છે અને આર્થિક લાભ પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, માટીમાંથી બનાવામાં આવેલી વસ્તુ મંગળ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. તેવામાં માટીની વસ્તુઓ ઘરમાં હોવાથી વ્યક્તિની કુંડળીમાં મંગળ ગ્રહની ખરાબ દશા દૂર થાય છે. તેનાથી વ્યક્તિના જીવનમાંથી તમામ સંકટો દૂર થઈ જાય છે. તેમજ વ્યક્તિને તમામ કાર્યોમાં સફળતા મળે છે. તેની સાથે તમે ઘરમાં માટીમાંથી બનેલી કઈ વસ્તુ રાખો છો, તેનાથી અલગ અલગ પ્રભાવ પડે છે. જાણો.
 
જો તમે તમારા ઘરમાં માટીમાંથી બનાવેલી મૂર્તિ રાખો છો તો તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તેમજ વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે અને સાથે ધન લાભ પણ થાય છે. તેની સાથે વ્યક્તિની કિસ્મત પણ ચમકી જાય છે અને દરેક પ્રયત્નમાં સફળતા પ્રાપ્ત થાય છે. જો તમે માટીમાંથી બનાવેલા દીવાથી દીવો કરો છો તેનાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. આવું કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તેમજ ઘરમાં ક્યારે પૈસાની ખોટ નથી આવતી. 
 
તે સિવાય માટીની કુલડીમાં ચા પીવાથી પણ ફાયદો થાય છે. કહેવામાં આવે છે કે, કુલડીની ચા પીવાથી પૈસાની બચત થાય છે. તે વ્યક્તિ પર લક્ષ્મીજીની કૃપા રહે છે તેમજ આર્થિક લાભ થાય છે. જ્યોતિષ અનુસાર માટીના માટલામાંથી પાણી પીવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. આવું કરવાથી ઘરમાંથી દ્રરિદ્રતા દૂર થાય છે. તે સિવાય માટીના માટલાનું દાન કરવાથી પણ શુભફળની પ્રાપ્તિ થાય છે. તેમજ કિસ્મતનાં દ્વાર ખુલી જાય છે.
Tags :