Get The App

પ્રજાના મૃત્યુદરમાં વધારો લોકોમાં ભયનું વાતાવરણ .

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
પ્રજાના મૃત્યુદરમાં વધારો લોકોમાં ભયનું વાતાવરણ               . 1 - image

 ધાન્યની ઉત્પત્તિ, અનાજની ઉત્પત્તિ સારી થાય !

મા નવદુર્ગા અને એકલિંગજી દાદાની અસીમ કૃપાથી વિક્રમ સંવત ૨૦૮૨ના વર્ષનો પ્રારંભ કારતક સુદ એકમ તા. ૨૨-૧૦-૨૦૨૫ને બુધવારથી થાય છે.

- ત્રણ માસમાં અનાજના ભાવ વધે.

- દુર્ભિક્ષી

- અન્ન-જળ મધ્યમ

- રાજા પોતાના બળથી પ્રભાવથી શત્રુની પૃથ્વીનો ભોગ કરે.

- દેશ અને દુનિયામાં રાજા નેતાઓમાં યુદ્ધ થાય.

- દરેક દેશ પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરે.

- શત્રુ દેશની જમીન પર કબ્જો કરવાના પ્રયાસો કર્યા કરે.

શક સંવત ૧૯૪૮નો પ્રારંભ ફાગણ વદ અમાસ તા. ૧૯-૩-૨૦૨૬ ગુરૂવારથી થઇ રહ્યો છે. એકમનો ક્ષય છે. આમ ચૈત્રીવર્ષની શરૂઆત અમાસ અને ક્ષયતિથિના દિવસે થવાથી દેશને દુનિયા માટે વર્ષ નબળું રહે.

- વરસાદ ઓછો થાય.

- ધન ધાન્ય ઓછા થાય.

- પૃથ્વી પર રોગનું સામ્રાજ્ય રહે.

- પ્રજા જુદા જુદા રોગથી પીડાય.

- પ્રજાના કષ્ટ પીડામાં વધારો થાય.

- રાજા શત્રુ સાથે યુદ્ધ કરે.

- દુનિયાના દેશો એકબીજાના દુશ્મન બને.

- દુનિયા વિવિધ દેશોના જુદા જુદા ગુઠમાં વહેંચાઈ જાય.

કારતક : રસનો ક્ષય થાય અર્થાત્ રસયુક્ત પદાર્થો નાશ પામે ! ફળો ઓછા પાકે!

- ધાન્ય સસ્તુ થાય !

માગશર : પ્રજાવૃદ્ધિ જોવા મળે !

પોષ : મોંઘવારી જોવા મળે !

- પ્રજા મોંઘવારીથી પરેશાન રહે !

- દેશ-દુનિયામા અશુભ ઘટનાઓ બને !

- પ્રજાના કષ્ટ પીડામાં વધારો થાય !

મહા : ધાન્ય-અનાજ સસ્તુ થાય !

- પરંતુ દેશ-દુનિયામાં આગેવાન વ્યક્તિ નેતાનું મૃત્યુ થાય !

ફાગણ : કેરીના પાકને નુકસાન થાય !

- રસ ક્ષય જોવા મળે !

- અનાજ સસ્તુ થાય !

ચૈત્ર : પ્રજાની વૃધ્ધિ થાય !

વૈશાખ : મોંઘવારીમાં વધારો થાય !

અધિક જેઠ : અશુભ ઘટનાઓ બને !

- કુદરતી આફત આવે !

નિજ જેઠ - દેશ-દુનિયામાં રાજનેતા સામાજિક અગ્રણીનું મૃત્યુ થાય !

અષાઢ - રસક્ષય !

શ્રાવણ : ધાન્ય સસ્તુ થાય !

- પ્રજાની વૃધ્ધિ !

ભાદરવો : મોંઘવારીમાં વધારો !

- રોગચાળો ફેલાય !

- પ્રજાને કષ્ટ પિડા !

આસો : દેશ દુનિયા માટે અશુભ !

- પ્રજાની મુશ્કેલીમાં વધારો થાય !

- દેશ-દુનિયામાં અપ્રિય ઘટનાઓ બને !

- કુદરતી આપત્તિઓ આવે !

અધિક માસનું ફળ

હિન્દુ-સનાતન સંસ્કૃતિ અનુસાર દર ત્રણ વર્ષે એક માસ અધિક માસ તરીકે આવે છે. આ વર્ષે જેઠ માસ અધિક માસ તરીકે આવશે.

તેથી -

- ધાન્યની ઉત્પત્તિ, અનાજની ઉત્પત્તિ સારી થાય !

- ચોમાસા સુધી પૃથ્વી પર ધનધાન્યના ભંડાર ભે ગા થાય ! પરંતુ રાજધ્વંસ થાય !

- દેશમાં નવા રાજ્ય અસ્તિત્વમાં આવે !

- દેશના ભાગ પડે !

- દુનિયામાં કેટલાક નવા પ્રદેશ-દેશનું સર્જન થાય !