રાશિ અનુસાર ધારણ કરો રુદ્રાક્ષની માળા, શિવજી કરશે કલ્યાણ
- રાશિ અનુસાર યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહની ખરાબ અસરથી બચી શકાય છે
- જાણો, કઇ રાશિના લોકોએ કયા પ્રકારની રુદ્રાક્ષની માળા પહેરવી જોઇએ
અમદાવાદ, તા. 10 ફેબ્રુઆરી 2018, શનિવાર
જે રીતે યોગ્ય રત્ન ધારણ કરવાથી ગ્રહોનો ખરાબ પ્રભાવ ઓછો અથવા ખત્મ કરી શકાય છે ઠીક તેવી જ રીતે યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહની ખરાબ અસરોથી બચી શકાય છે. જો તમે પણ પોતાનું ભાગ્ય બનાવવા માંગો છો તો તમારે તમારી રાશિ અનુસાર આ રુદ્રાક્ષને ધારણ કરવા જોઇએ.
મેષ રાશિ : મેષ રાશિના લોકોએ પોતાના સૌભાગ્યમાં વધારો કરવા માટે એક મુખી, ત્રણ મુખી અથવા પંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ.
વૃષભ રાશિ : પોતાના માન-સન્માનમાં વધારો કરવા માટે ચાર મુખી, છ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષ વૃષભ રાશિના લોકોએ ધારણ કરવું જોઇએ.
મિથુન રાશિ : તમારે સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે ચાર મુખી, પંચ મુખી અને તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ.
કર્ક રાશિ : આ રાશિના લોકોએ નોકરી અને બિઝનેસમાં પ્રમોશન મેળવવા માટે ત્રણ મુખી, પંચ મુખી અથવા ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ.
સિંહ રાશિ : સિંહ રાશિવાળા લોકોએ એક મુખી, ત્રણ મુખી અને પંચ મુખી રુદ્રાક્ષ પહેરવું જોઇએ તેનાથી વ્યક્તિને ધનલાભ થાય છે.
કન્યા રાશિ : આ રાશિના લોકોએ ચાર મુખી, પંચ મુખી અને તેર મુખી રુદ્રાક્ષની માળા પહેરવી જોઇએ.
તુલા રાશિ : આ રાશિના લોકોએ ચાર મુખી, છ મુખી અને ચૌદ મુખી રુદ્રાક્ષની માળા પહેરવી જોઇએ તેનાથી દરેક પ્રકારના કષ્ટનું નિવારણ આવે છે.
વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકોએ ત્રણ મુખી અથવા તો પંચ મુખી રુદ્રાક્ષની માળા પહેરવી જોઇએ.
ધન રાશિ : તમારે સૌભાગ્યની વૃદ્ધિ માટે ચાર મુખી, પંચ મુખી અને તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ.
મકર રાશિ : મકર રાશિવાળા લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે ચાર મુખી, ત્રણ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઇએ.
કુંભ રાશિ : કુંભ રાશિવાળા લોકોએ પોતાના સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે એક મુખી, ત્રણ મુખી અથવા પંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ.
મીન રાશિ : પોતાના માન-સન્માનમાં વધારો કરવા માટઇ ચાર મુખી, છ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ.