Get The App

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે વર્ષ કેવું ?

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે વર્ષ કેવું ? 1 - image

દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે વર્ષ ઉતાર- ચઢાવવાળું રહે.

- વર્ષનો પ્રારંભ સારો રહે.

- પરંતુ માગસર માસથી અધિક જેઠ માસ સુધીનો સમય તેમના માટે કપરો રહે !

- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેમણે વિશેષ સાવધાની રાખવી પડે !

- દેશના રાજ્યોમાં આંતરવિગ્રહના કારણે દેશની ચિંતામાં વધારો થાય !

- રાજકોષીય ખાધ વધતા આર્થિક સ્થિરતા સાચવવાની, વિકાસ વૃદ્ધિની તેમની ચિંતામાં વધારો થાય !

- પક્ષમાં પદની ખેંચતાણમાં, વાદ-વિવાદમાં, આંતરકલહમાં વધારો થાય!

- પક્ષના અનુભવી નેતાઓની સુષુપ્તાવસ્થા કે તેમનો બળવો તેમની ચિંતામાં વધારો કરે !

- દેશને સાચવવો કે પક્ષને સાચવવો તેની દ્વિધા અનુભવાય.

- પરંતુ દ્વિતીય જેઠ માસથી આસો માસ સુધીનો સમય તેમના માટે સારો રહે.

- તેમના યશ, પ્રતિષ્ઠામાં વધારો થાય

- તેમના પ્રયત્નોથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધારો થાય ! સંબંધો વધુ સુદ્રઢ બને !

- પક્ષના અસંતુષ્ટો શાંત થાય !

- તેમના અંતરંગ સહયોગીઓ મંત્રીઓ કાર્યકરોનો તમને સાથ- સહકાર મળી રહે !

- આંતરરાષ્ટ્રીય પ્રવાસો, નેતાઓ સાથેની મુલાકાતો દ્વારા ભારતમાં આંતરરાષ્ટ્રીય રોકાણમાં વધારો કરાવી શકે !

- ભારતના આયાત- નિકાસના વ્યાપારમાં વૃદ્ધિ લાવી શકે !

પરંતુ વર્ષ દરમ્યાન તેમણે

- પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેકાળજી રાખવી નહીં.

- તે સિવાય વિપક્ષ દ્વારા તેમના પર કે પક્ષ પર ભ્રષ્ટાચાર, નાણાંકીય ગોટાળાનો આક્ષેપ લગાવવામાં આવે !

- વિપક્ષ દ્વારા તેમના કાર્યમાં સતત કોઈને કોઈ વિઘ્ન ઉભું કરવાના પ્રયાસો થાય !

- આમ વર્ષની મધ્ય સુધીનો સમય તેમના માટે થોડો વધુ મુશ્કેલીવાળો રહે પરંતુ વર્ષનો અંત તેમના માટે સારો રહે.

ગુજરાતમાં મહત્વના ઉદ્યોગો એન્ટ્રી મારે : રોકાણ વધે

ગુજરાત રાજ્ય માટે વર્ષ સારું રહે. વર્ષ દરમ્યાન ગ્રહોની પરિસ્થિતિ જોતાં -

- ગુજરાત રાજ્યની યશ- પ્રતિષ્ઠામાં વધારો થાય !

- મહત્ત્વના પ્રોજેક્ટ ઉદ્યોગો કંપનીઓ ગુજરાતમાં આવે !

- દુનિયાના દેશો ગુજરાતમાં રોકાણ કરે

- આંતર રાજ્ય- આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધારો જણાય

- પ્રજાની વચ્ચે સત્તાધારી પક્ષની પ્રતિષ્ઠામાં વધારો થાય !

- રાજ્યમાં કુદરતી સંપત્તિનો ખજાનો પ્રાપ્ત થાય તેવા સંજોગો ઉભા થાય !

- વર્ષ પસાર થાય તેમ રાજ્યની સંપત્તિમાં વધારો થાય !

- પ્રજાની સુખાકારી વધે !

- પ્રજાની આવકમાં વધારો થાય !

- અનાજ- તેલીબીયાનું સારું ઉત્પાદન થતા નિકાસમાં વધારો થાય !

- પ્રજા વચ્ચેનો સુમેળ વધે !

- પરંતુ સત્તાધારી પક્ષે આંતરિક વિવાદ અને ઉતાવળિયા નિર્ણયોથી સાચવવું પડે.

- પરંતુ પોષ માસના અંતથી ચૈત્ર માસના પ્રારંભિક સપ્તાહ સુધીનો સમય રાજ્ય માટે ચિંતાજનક રહે !

- પ્રજાની પીડામાં વધારો થાય !

- રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાય !

- નેતૃત્વ પરિવર્તનની વાતો સંભળાય કે નેતૃત્વ પરિવર્તન થાય !

ભાજપ પ્રતિષ્ઠા દાવ પર લાગે

ભારતીય જનતા પક્ષ માટે વર્ષ આરોહ- અવરોહનું રહે. વર્ષનો પ્રારંભ સારો રહે પરંતુ માગશર માસથી અધિક જેઠ માસ સુધીનો સમય વધુ કપરો રહે !

- પક્ષની પ્રતિષ્ઠા દાવ પર લાગે !

- પક્ષના વિવિધ નેતાઓનો વાણી-વિલાસ ભ્રષ્ટાચાર અને તેને છાવરવાની ઉચ્ચ નેતાઓની નીતિ પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે !

- પ્રજાની વચ્ચે પક્ષ પ્રત્યે અસંતોષનું વાતાવરણ સર્જાય, પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં સ્થિતિમાં સુધારો થતો જાય !

'કોંગ્રેસ' પક્ષને બદલે 'પરિવાર' પક્ષ લાગે

કોંગ્રેસ પક્ષ માટે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે ! વર્ષની શરૂઆત સારી થાય પરંતુ માગશરથી અધિક જેઠ માસ સુધીનો સમય મધ્યમ રહે પક્ષમાં બળવો થાય ! આંતરકલહ વધે, સાથી પક્ષોની વચ્ચે પ્રભુત્વ ઘટતું જાય ! પક્ષની નેતાગીરી સામે પ્રશ્નો ઉભા થાય ! નવા ચહેરાઓને, યુવાશક્તિને તક આપવી પડે ! એક કુટુંબ કે પરિવારને અનુસરવાથી 'કોંગ્રેસ' પક્ષને બદલે 'પરિવાર' પક્ષ લાગે. જો કે, વર્ષના ઉત્તરાર્ધમાં સમય સુધરતો જાય, પરિસ્થિતિમાં સુધારો જોવા મળે.

વિશ્વના દેશો વચ્ચે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થાય : દેશમાં આંતરિક કલહ- વિગ્રહ જણાય

આઝાદ ભારતની કુંડળી પ્રમાણે સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે.

- વર્ષારંભે દેશમાં આંતરિક કલહ- વિગ્રહ જણાય !

- આકસ્મિક આપત્તિઓને લીધે ખર્ચમાં વધારો થાય !

- રાજકોષમાં ઘટાડો થાય !

- વૈશ્વિક દેવું વધે !

- પરંતુ વર્ષની મધ્યથી દેશ માટે સારો સમય આવે !

- પડોશી દેશો સાથેના સંબંધમાં સુધારો જણાય !

- વિશ્વના દેશો વચ્ચે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થાય !

- આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વિકાસ જોવા મળે !

- વિશ્વના દેશો ભારત સાથે આર્થિક વ્યાપારિક સંબંધો બાંધવા આતુર રહે !

- વિશ્વની મહાસત્તાઓ પણ ભારત સાથેના સંબંધો સુધારવા મથે !

- વર્ષ પસાર થતું જાય તેમ આર્થિક વૃદ્ધિ જણાય !

- રાજકોષમાં વધારો થાય ?

- સત્તાધારી પક્ષની રાજ્યો પરની પક્કડમાં વધારો થાય ! પરંતુ ૧૨ ફેબુ્રઆરી ૨૦૨૬થી ૨ એપ્રિલ ૨૦૨૬ સુધીનો સમય કપરો રહે.

- દેશોમાં આંતરિક વિગ્રહ વાદ- વિવાદમાં વધારો થાય !

- અકસ્માત, કુદરતી આપત્તિના લીધે જાન-માલનું નુકસાન થાય !

- પ્રજાની પીડામાં વધારો થાય !

- દ્વિતીય જેઠ માસ દરમ્યાન મોટા નાણાંકીય કૌભાંડથી સંભાળવું પડે !

વિશ્વની મહાસત્તાઓ પણ ભારત સાથેના સંબંધો સુધારવા મથે

આઝાદ ભારતની કુંડળી પ્રમાણે સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે.

- વર્ષારંભે દેશમાં આંતરિક કલહ- વિગ્રહ જણાય!

- આકસ્મિક આપત્તિઓને લીધે ખર્ચમાં વધારો થાય !

- રાજકોષમાં ઘટાડો થાય !

- વૈશ્વિક દેવું વધે ! પરંતુ વર્ષની મધ્યથી દેશ માટે સારો સમય આવે !

- પડોશી દેશો સાથેના સંબંધમાં સુધારો જણાય!

- વિશ્વના દેશો વચ્ચે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થાય !

- આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વિકાસ જોવા મળે!

- વિશ્વના દેશો ભારત સાથે આર્થિક વ્યાપારિક સંબંધો બાંધવા આતુર રહે !

- વિશ્વની મહાસત્તાઓ પણ ભારત સાથેના સંબંધો સુધારવા મથે !

- વર્ષ પસાર થતું જાય તેમ આર્થિક વૃદ્ધિ જણાય!

- રાજકોષમાં વધારો થાય ?

- સત્તાધારી પક્ષની રાજ્યો પરની પક્કડમાં વધારો થાય ! પરંતુ ૧૨ ફેબુ્રઆરી ૨૦૨૬થી ૨ એપ્રિલ ૨૦૨૬ સુધીનો સમય કપરો રહે.

- દેશોમાં આંતરિક વિગ્રહ વાદ- વિવાદમાં વધારો થાય !

- અકસ્માત, કુદરતી આપત્તિના લીધે જાન-માલનું નુકસાન થાય !

- પ્રજાની પીડામાં વધારો થાય !

- દ્વિતીય જેઠ માસ દરમ્યાન મોટા નાણાંકીય કૌભાંડથી સંભાળવું પડે !