Get The App

હરિયાળી અમાસ પર આજે કરો તુલસીની પૂજા, મા લક્ષ્મીના આશીર્વાદ જળવાઈ રહેશે

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
હરિયાળી અમાસ પર આજે કરો તુલસીની પૂજા, મા લક્ષ્મીના આશીર્વાદ જળવાઈ રહેશે 1 - image


Hariyali Amavasya 2025: આજે હરિયાળી અમાસ છે. હરિયાળી અમાસને શ્રાવણી અમાસ અને શ્રાવણ અમાસ પણ કહેવામાં આવે છે. હરિયાળી અમાસ દર વર્ષે શ્રાવણ મહિનામાં આવે છે, તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. હરિયાળી અમાસના દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ પર ભોળેનાથની કૃપા બની રહે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. બીજી તરફ અમાસના દિવસે તુલસીની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

તો ચાલો જાણીએ કે હરિયાળી અમાસના દિવસે કેવી ધાર્મિક વિધિ ઉત્તમ નીવડે છે.  

આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયામાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, દિવાલો પર લખ્યા ઉશ્કેરણીજનક મેસેજ: પોલીસ તપાસના આદેશ

મા લક્ષ્મીના આશીર્વાદ જળવાઈ રહેશે 

હરિયાળી અમાસના દિવસે પીળા દોરામાં 108 ગાંઠ બાંધીને તુલસીના કૂંડામાં બાંધી દો અને પછી માતા તુલસીને તમારી બધી ઈચ્છાઓ માટે પ્રાર્થના કરો. આ ઉપરાંત હરિયાળી અમાસની રાત્રે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો અને પછી તુલસીના છોડની 11 વાર પરિક્રમા કરો. હરિયાળી અમાસના દિવસે  સારા લગ્ન જીવન માટે માતા તુલસીને લાલ ચુંદડી ચઢાવો. એવું કહેવાય છે કે લાલ ચુંદડી ચઢાવવાથી શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. હરિયાળી અમાસના દિવસે માતા તુલસીની પૂજા કરો અને 'ઓમ નમો વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરો.

Tags :