8 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે
અમદાવાદ, તા. 8 સપ્ટેમ્બર શનિવાર 2018
મેષ:
આજે અઘોરા ચૌદશે મહાદેવજીની ભક્તિ-પૂજાથી શાંતિ-હળવાશ રહે. બજારોની વધઘટમાં વેપાર-ધંધામાં ધ્યાન આપવું પડે.
વૃષભ:
અઘોરા ચૌદશ - માસિક શિવરાત્રીએ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં ચિંતા રહે.
મિથુન:
લપસી પડવાથી ઈજાથી, રસ્તામાં આવતા જતા વાંદરાથી, કૂતરાથી, ગાય, ભેંસથી, વાહન ટક્કરથી સંભાળવું પડે. નોકરી-ધંધામાં રાહત રહે.
કર્ક:
અઘોરા ચૌદશ - માસિક શિવરાત્રીએ બપોર પછી કામકાજમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્યથી યાત્રાપ્રવાસનું આયોજન ગોઠવાય.
સિંહ:
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા અંગત કામમાં, પત્ની-સંતાન-સગાસંબંધી-મિત્રવર્ગના કામમાં, ધર્મકાર્યમાં વ્યસ્ત થતા જાવ.
કન્યા:
ચિંતા-ખર્ચ-ઉચાટ રહે. બહાર કે બહારગામ જવાના પ્રશ્ને મીલન-મુલાકાતના પ્રશ્ને આપને કંઇ ગમે નહીં. બેચેની રહે.
તુલા:
પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. વ્યસ્તતામાં દિવસ પસાર થાય. સાંજના સમયે બહાર કે બહારગામ જવાનું થાય.
વૃશ્ચિક:
ધર્મકાર્યમાં વ્યસ્તતા રહે. પરંતુ આરોગ્યની કાળજી રાખવી. છાતીમાં દર્દપીડાથી - દુઃખાવાથી સંભાળવું. બેકાળજી રાખવી નહીં.
ધન:
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. ધર્મકાર્ય થાય. સગાસંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય.
મકર:
અઘોરા ચૌદશ - માસિક શિવરાત્રીનો આજનો શનિવાર જેમ જેમ પસાર થાય તેમ તેમ અસ્વસ્થતા અનુભવતા જાવ. આકસ્મિક ચિંતા-ઉપાધિ જણાય.
કુંભ:
કામની વ્યસ્તતા છતાં આનંદથી તમારું કામ કરી શકો. નોકરી-ધંધાના - સગા-સંબંધી-મિત્રવર્ગના સંબંધ-વ્યવહાર તાજા થાય.
મીન:
વિલંબમાં પડેલા કામના ઉકેલમાં સાનુકૂળતા રહે. બહાર કે બહારગામ જવાનું થાય. આકસ્મિક કોઇને મળવાનું થાય.
જન્મતારીખ વર્ષસંકેત
આજની તારીખે શરૃ થતા જન્મવર્ષમાં જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના પ્રારંભના છ મહિના તકલીફના રહે. પરંતુ ઉત્તરાર્ધમાં અંશતઃ રાહત થતી જાય. જેમના જન્મના ગ્રહ બળવાન હશે તેમને તકલીફ-પરેશાની-રૃકાવટ છતાં કામ ઉકેલાય.
વ્યવહાર સંબંધ
સગાસંબંધી-મિત્રવર્ગના સંબંધ-વ્યવહારમાં મનદુઃખ થાય. ગેરસમજ થાય. વિયોગ થાય.
કાનૂની કાર્યવાહી
મકાન-જમીન-મીલ્કત અંગેની, નોકરી-ધંધાની - કુટુંબની-પરિવારની કાનૂની કાર્યવાહીમાં આપે સજાગ રહેવું પડે. કોઇના દોરવાયા દોરવાઇ જવું નહીં. વાતોથી પ્રભાવીત થઇ જવું નહીં. કોઇપણ કામ કરો - નિર્ણય કરો - સહીસિક્કા કરો તેમાં સાવધાની-જાગૃતિ-સલામતીનો વિચાર કરવો.
પુત્ર-પૌત્રાદિકની ચિંતા
સંતાનના આરોગ્ય-વિદ્યાભ્યાસ-વિવાહ-લગ્ન- નોકરી-ધંધાના પ્રશ્ને આપને ચિંતા રહે. છુટાછેડાના વિવાદમાં કાનૂની કાર્યવાહી-પોલીસ કાર્યવાહીમાં પરિવારને તકલીફો પડે.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગે વર્ષારંભથી જ અભ્યાસમાં ધ્યાન આપવું પડે. વ્યસની-આળસુ મિત્રવર્ગમાં તમને હાનિ થાય.