6 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે
અમદાવાદ, તા. 6 સપ્ટેમ્બર 2018 ગુરુવાર
મેષ:
આજથી જૈન મહા પર્યુષણ પર્વ (ચ.પ.)નો પ્રારંભ, એકાદશી તેમજ બપોરના ૩ ક. ૧૪ મિ.થી ગુરૃપુષ્યામૃતયોગ ધર્મકાર્યમાં વ્યસ્તતાવાળો રહે.
વૃષભ:
જૈન મહા પર્યુષણ પર્વ (ચ.પ.)નો પ્રારંભ, અજા એકાદશી, બપોરના ૩ ક. ૧૪ મિ.થી ગુરૃપુષ્યામૃતયોગ ધર્મકાર્યથી કાર્ય સિધ્ધિવાળો રહે.
મિથુન:
જૈન મહા પર્યુષણ પર્વ (ચ.પ.)નો આજથી પ્રારંભ થતાં ધર્મકાર્યમાં આનંદ રહે. પરંતુ નોકરી-ધંધાના કામમાં વિલંબ થાય, રાહ જોવી પડે.
કર્ક:
અજા એકાદશી - જૈન મહા પર્યુષણ પર્વ (ચ.પ.) ધર્મકાર્યમાં એકાગ્રતા જાળવવી. નોકરી ધંધાના કામના વિચારોમાં શાંતિ જણાય નહીં.
સિંહ:
જૈન મહા પર્યુષણ પર્વ (ચ.પ.), અજા એકાદશી તેમજ બપોરના ૩ ક. ૧૪ મિ.થી ગુરૃપુષ્યામૃતયોગ ધર્મકાર્યમાં કાર્ય સિદ્ધિ-સફળતાનો રહે.
કન્યા:
નોકરી-ધંધાના કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં આજે આપને સાનુકૂળતા રહે. સાંજનો સમય કાર્યસફળતા- પ્રગતિનો રહે.
તુલા:
જૈન મહા પર્યુષણ પર્વ (ચ.પ.), અજા એકાદશીએ આજે ધર્મકાર્યથી આનંદમાં રહો. બપોર પછી નોકરી-ધંધાનું કામ થાય.
વૃશ્ચિક:
જૈન મહા પર્યુષણ પર્વ (ચ.પ.), અજા એકાદશી તેમજ બપોરના ૩ ક. ૧૪ મિ.થી ગુરૃપુષ્યામૃતયોગ ધર્મકાર્યમાં આનંદ રખાવે.
ધન:
જૈન મહા પર્યુષણ પર્વ (ચ.પ.)ના પ્રારંભે શારીરિક-માનસિક- પારિવારિક-કૌટુંબીક પ્રતિકૂળતા-અસ્વસ્થતા- તકલીફ અનુભવાય.
મકર:
જૈન મહા પર્યુષણ પર્વ (ચ.પ.), અજા એકાદશીએ ધર્મકાર્યમાં, નોકરી-ધંધાના કામમાં માનસિક વ્યગ્રતા રહે. ઉતાવળે કામ કરવું પડે.
કુંભ:
જૈન મહા પર્યુષણ પર્વ, અજા એકાદશી, ગુરૃપુષ્યામૃતયોગ સમન્વયથી ધર્મકાર્ય થાય. કાર્ય સફળતાથી આનંદ રહે.
મીન:
બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં આજે ધર્મકાર્યમાં, નોકરી-ધંધાના કામમાં, સંતાનના કામમાં મુશ્કેલી પડે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજની તારીખે શરૂ થતાં જન્મવર્ષના પ્રારંભે ધર્મકાર્ય થાય. હૃદય-મનની પ્રસન્નતા રહે. પરંતુ પ્રારંભના નેવુ દિવસ મોબાઈલના વધુ પડતાં ઉપયોગમાં શારીરિક-માનસિક કષ્ટપીડા-તણાવ- અનિંદ્રા અનુભવાય.
વિશેષમાં
કામમાં એકાગ્રતા જાળવવી
ધર્મકાર્યમાં, નોકરી ધંધાના કામમાં, પત્ની-સંતાનના કામમાં એકાગ્રતા જાળવવી પડે. ચિત્તભ્રમ-દ્રષ્ટિભ્રમ- બુદ્ધિભ્રમ- કામની વિસ્મૃતિ તમારા માટે આપત્તિરૃપ બને.
ભાગ્યોદય - ફેરફારી
જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારા કાર્યક્ષેત્રમાં ફેરફારી-ભાગ્યોદયની તક પ્રાપ્ત થાય. નોકરી-ધંધામાં રૃકાવટવાળા કામ ઉકેલાતા જાય.
પુત્ર-પૌત્રાદિક-ધર્મકાર્ય
પુત્ર પૌત્રાદિકના માટે વર્ષ પ્રગતિકારક રહે. તેમના માટે ધર્મકાર્ય-શુભકાર્યનો ખર્ચ થાય. વિદેશ પ્રવાસનો ખર્ચ થાય. વિદ્યાભ્યાસ- વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય.
પત્નીથી-મિત્રવર્ગથી ચિંતા
પત્નીથી-મિત્રવર્ગથી સાંસારિક જીવનમાં તકલીફ સર્જાય. કાનૂની વિવાદ-આક્ષેપ-અપયસથી સંભાળવું પડે.