Get The App

28 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે

Updated: Sep 27th, 2018

GS TEAM


Google News
Google News
28 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 28 સપ્ટેમ્બર 2018 શુક્રવાર

મેષ: 

આપના કાર્યમાં આપને સાનુકૂળતા થતી જાય. મહત્વના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે. નિર્ણય લઇ શકાય.

વૃષભ:

આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી. આકસ્મિક કામ આવી જવાના લીધે દોડધામ-શ્રમમાં વધારો જણાય.

મિથુન:

આપના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંતાનના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાનીમાં ઘટાડો થાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

કર્ક:

આપના રોજિંદા કામમાં આપને સાનુકૂળતા જણાય. આપના કાર્ય અંગે દોડધામ રહે. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા જણાય.

સિંહ:

આપના કાર્યમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય. ધર્મકાર્યથી પ્રસન્નતા અનુભવો. મિલન-મુલાકાતમાં સફળતા મળે.

કન્યા:

આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે.

તુલા: 

આપના કામમાં સાનુકૂળતા થતી જાય. મહત્વના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સફળતા મળી રહે. મહત્વના નિર્ણય લઇ શકાય.

વૃશ્ચિક:

સીઝનલ ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે. કોર્ટ-કચેરીના કામમાં દોડધામ જણાય પરંતુ કામ ઉકેલાતા રાહત અનુભવો.

ધન:

ધીરે ધીરે આપના કામમાં સાનુકૂળતા થતી જાય. પુત્રપૌત્રાદિકના કામમાં સફળતા મળી રહે. વાણીની મીઠાશથી  લાભ થાય.

મકર:

આપે નોકરી-ધંધાના કાર્યમાં વિલંબનો સામનો કરવો પડે. માતૃપક્ષે બિમારી-ચિંતાનું આવરણ રહે. વાહન ધીરે ચલાવવું.

કુંભ:

આપના કાર્યમાં સહકાર્યકરવર્ગ - નોકર-ચાકરવર્ગનો સાથસહકાર મળી રહે. પરદેશના કામમાં આપને લાભ-ફાયદો જણાય.

મીન:

આપના કામમાં વ્યસ્ત રહેવાની સાથે કૌટુંબિક-પારિવારીક કામ અંગે દોડધામ જણાય. ખર્ચ-ખરીદી જણાય.

જન્મતારીખ વર્ષસંકેત

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મવર્ષ નબળું રહેશે. એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે.

આરોગ્ય સુખાકારી:

આરોગ્ય સુખાકારી માટે આપે ખૂબ જ સાવધાની રાખવી પડે. પેટ-પેઢુની - ગુદાભાગની - પગની તકલીફ અનુભવાય. બહારનું ખાવા-પીવામાં, દવા લેવામાં આપે સાવધાની રાખવી.

નોકરી-ધંધો:

વ્યવસાયીક રીતે આપે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં કે અન્યના ભરોસે રહેવું નહીં.

નાણાંકીય આયોજન:

નાણાંકીય આયોજન આપે વર્ષ દરમ્યાન સંભાળીને કરવું. મોટા નાણાંકીય રોકાણો કરવા નહીં. આવક કરતાં જાવક વધી ન જાય તેનું ધ્યાન રાખવું. કોઇના જામીન બનવું નહીં.

Tags :