26 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 26 માર્ચ 2018, સોમવાર
મેષ :
બજારોની વધઘટમાં આજે આપે વેપાર-ધંધામાં ધ્યાન રાખવું પડે. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચિંતા-ઉચાટ રહે.
વૃષભ :
નોકરી-ધંધાના કામમાં વધારો થાય. જવાબદારીવાળા કામનો ઉકેલ લાવવા માટે દોડધામ રહે, પરંતુ કામની ઉતાવળમાં ભૂલ થાય.
મિથુન :
નોકરી-ધંધાના રુકાવટવાળા કામનો ઉકેલ લાવવામાં આજે સાનુકુળતા રહે. હિસાબી કામમાં, બેંકના કામમાં, ઇન્કમટેક્ષના કામમાં ધ્યાન આપી શકો.
કર્ક :
વિચારોની દ્વિઘા- માનસિક પરિતાપ- ચિંતામાં અટવાયા કરો. તેમ છતાં જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કામ ઉકેલાતું જાય.
સિંહ :
નોકરી-ધંધાના કામથી ચિંતા રહે. ખર્ચ થાય પરંતુ બજારોની વધઘટમાં લોભ લાલચે નાણાંકીય જોખમ કરવું નહીં. માલનો ભરાવો કરવો નહીં.
કન્યા :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ- રાહત અનુભવતા જાવ. નોકરી-ધંધાના તમારા અંગત કામમાં સાનુકુળતા થતી જાય.
તુલા :
નોકરી-ધંધાના કામમાં, સરકારી- રાજકીય -ખાતાકીય કામમાં, સંબંધ વ્યવહારમાં, મિલન- મુલાકાતમાં આપને સાનુકુળતા રહે. નોકરી-ધંધાનું કામ થાય
વૃશ્ચિક :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ સ્વસ્થતા- સાનુકુળતા- હળવાશ અનુભવતા જાવ. નોકરી-ધંધાનું કામકાજ કરી શકો.
ધન :
બજારોની વધઘટમાં, ભાગીદારીવાળા ધંધામાં, કરારી ધંધામાં, પરદેશના વેપાર-ધંધામાં આકસ્મિક ચિંતા રુકાવટ, મુશ્કેલી આવી જાય.
મકર :
આનંદથી નોકરી-ધંધાનું કામ કરી શકો. તમારી મહેનત સાર્થક થાય, તમારા કામની કદર થાય. અન્ય કામકાજ ઉકેલી શકાય.
કુંભ :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. ધંધો- આવક થાય. નવું કામ થઇ શકે.
મીન :
શેરોની લે-વેચમાં, નોકરી-ધંધાના કામમાં, સંતાનના કામમાં આપને ચિંતા રહે. લોભ- લાલચમાં ઉતાવળમાં બિનજરૃરી તકલીફ થાય.
જન્મ તારીખ વર્ષ સંકેત
પ્રતિકુળતા-સંઘર્ષ પછી રાહત
આજથી શરૃ થતું આપનું જન્મ વર્ષ પ્રતિકુળતા- સંઘર્ષનું રહે પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ આપ રાહત અનુભવતા જાવ.
વિશેષમાં :-
આરોગ્ય :
વર્ષ દરમ્યાન અવાર નવાર શારિરીક- માનસિક પ્રતિકુળતા- અસ્વસ્થતાના કારણે સ્ફુર્તિ- તાજગી આનંદ જણાય નહીં. શ્રમ થાક કંટાળો અનુભવો.
નોકરી-ધંધો :
નોકરી-ધંધામાં સંઘર્ષ રહે. અન્યના કારણે તમને તમારી કામગીરી- જવાબદારીમાં મુશ્કેલી પડે. વર્ષારંભે ત્રીસ દિવસ જાગૃતિ-સાવધાની રાખવી.
કૌટુંબિક પ્રતિકુળતા :
કૌટુંબિક પ્રતિકુળતા રહે. સગા-સંબંધી- મિત્રવર્ગ, વડીલ વર્ગની બિમારી- સંયુક્ત પરિવારમાં મનદુઃખ, મતભેદ રહેવાથી હૃદય-મનને શાંતિ જણાય નહીં.
વિદ્યાર્થીવર્ગ :
વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં એકાગ્રતા રાખવી પડે તેમજ આરોગ્ય સાચવવું પડે, વાહનથી સંભાળવું પડે.