Get The App

12 નવેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Nov 11th, 2018

GS TEAM


Google News
Google News
12 નવેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 12 નવેમ્બર 2018, સોમવાર

મેષ:
આજે લાભ પાંચમ-જૈન જ્ઞાન પંચમી-શ્રીપંચમી-સૌભાગ્ય પંચમી-પાંડવ પંચમી છે. નોકરી-ધંધાનું પ્રણાલિગત મુહરત-કામકાજ આનંદથી કરી શકો.

વૃષભ:
લાભ પાંચમી-જૈન જ્ઞાનપંચમીએ પ્રણાલિકાગત મુહરતના કામ થાય. પરંતુ ગુરૂ અસ્તના કારણે નવા માંગલિક-શુભકાર્યો થાય નહીં.

મિથુન:
નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. પરંતુ મુહરતના કામમાં જોખમી નિર્ણય કરવા નહીં. ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

કર્ક:
લાભપાંચમ-જૈન જ્ઞાન પંચમીએ પ્રણાલિકાગત મુહરતના કામકાજમાં ધ્યાન આપવું પડે. નોકરી ધંધાના સબંધ-વ્યવહાર સાચવવા પડે.

સિંહ:
આજે લાભપાંચમ-જૈન જ્ઞાન પંચમીએ નોકરી-ધંધાનું કામ કરી શકો પરંતુ ગુરૂ અસ્તના કારણે માંગલિક શુભ નવા કામનો પ્રારંભ થઈ શકે નહીં.

કન્યા:
ગુરૂ અસ્તના કારણે માંગલિક શુભ કામ થાય નહીં. પરંતુ નોકરી-ધંધાના પ્રણાલિકાગત કામ આજે લાભ પાંચમ-જૈન જ્ઞાન પંચમીએ થાય.

તુલા:
ગુરૂ અસ્તના કારણે વિવાહ-લગ્ન આદિ શુભકાર્યો સ્થગિત રહે. ધર્મકાર્ય-સીમંત કાર્ય થાય. પ્રણાલિગત લાભ પાંચમે, નોકરી ધંધાનું કામ થાય.

વૃશ્ચિક:
લાભ પાંચમી-જૈન જ્ઞાન પંચમીએ પ્રણાલિગત નોકરી-ધંધાના કામકાજ થાય. પરંતુ ગુરૂ અસ્તના કારણે પુત્ર પૌત્રાદિકના લગ્ન થાય નહીં.

ધન:
નોકરી-ધંધાના પ્રણાલિગત રોજીંદા કામ આજે લાભ પાચંમ-જૈન પંચમી એ થવાના કારણે કામની વ્યસ્તતા રહે. બહાર જવાનું થાય.

મકર:
લાભ પાંચમ-જૈન જ્ઞાન પંચમીએ નોકરી-ધંધાના કામમાં પ્રણાલિગત કામમાં વ્યસ્ત રહો. પરંતુ ગુરૂ અસ્તના કારણે માંગલિક શુભકામ થાય નહીં.

કુંભ:
આજે જૈન જ્ઞાનપંચમી-લાભ પાંચમે પ્રણાલિગત નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જુના-નવા સબંધ-વ્યવહાર સચવાય, આનંદ રહે.

મીન:
ગુરૂ અસ્તના કારણે વિવાહ-લગ્નાદિ શુભકાર્ય થાય નહીં. લાભ પાંચમ-જૈન જ્ઞાનપંચમીએ પ્રણાલિગત નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૂ થતા જન્મવર્ષના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં આનંદ-ઉત્સાહ રહે. ધર્મકાર્યમાં હૃદય-મનની પ્રસન્નતા રહે. તે સિવાય પ્રારંભના સાઈઠ દિવસ વ્યવહારિક-સામાજીક, પારિવારિક-કૌટુંબીક કામમાં વિલંબના રહે. 

નોકરી-ધંધો:
જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ બંધનમુક્તિ-હળવાશ-રાહત નોકરી-ધંધાના કામમાં થતી જાય. તેમ છતાં વર્ષના પ્રારંભના છ મહિના નોકરી-ધંધામાં સંઘર્ષ-ચિંતાના રહેવાના છે તેમ ધ્યાનમાં રાખી જોખમી ફેરફારો કરવા નહીં.

આરોગ્ય-સુખાકારી:
વર્ષના પ્રારંભે અવાર નવાર શારિરીક-માનસિક અસ્વસ્થતા રહેવા છતાં તમારે તમારા કામમાં-જવાબદારીમાં વ્યસ્ત રહેવું પડે. વાહન શાંતિથી-ધીમેથી ચલાવવું. બહારનું ખાવા પીવામાં ફુડ પોયઝન-વાયરલ ઈન્ફેક્શનથી સંભાળવું પડે.

સ્ત્રી વર્ગ:
સ્ત્રી વર્ગને ભક્તિ-પૂજા-મંત્રજાપથી મનની શાંતિ-પરિવારની શાંતિ જળવાય. ગાયનેક તકલીફ-કમરની તકલીફ-ઢીંચણ-પગની દર્દપીડામાં રોજીંદા કામમાં તકલીફ પડે.

વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં વર્ષના પ્રારંભથી જ મહેનત વધારે કરવી પડે. અભ્યાસમાં એકાગ્રતા રાખવી પડે.

Tags :