Get The App

2 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Feb 2nd, 2018

GS TEAM

Google News
Google News
2 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ તા. 2 ફેબ્રુઆરી 2018, શુક્રવાર
 
મેષ : 
તમારા રોજીંદા કામમાં સાનુકૂળતા રહે. નોકરી ધંધાનું પત્ની-સંતાન-પરિવારનું કામ ઉકેલી શકાય. વધારાનું કામ થાય.
 
વૃષભ : 
સગા સંબંધી-મિત્રવર્ગના, નોકરી ધંધાના કામમાં, સંબંધ-વ્યવહારમાં વ્યસ્તતા રહે. યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાત થાય.
 
મિથુન : 
નોકરી-ધંધાના કામ અંગેની ચર્ચા વિચારણા થાય. કોઈને મળવાનું થાય. પરંતુ નાણાંકીય કામમાં, લેવડ દેવડમાં સંભાળવું.
 
કર્ક : 
નોકરી-ધંધાનો, કુટુંબ-પરિવારના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. આકસ્મિક કોઈને મળવાનું થાય, આનંદ થાય.
 
સિંહ : 
સગા સંબંધી-મિત્રવર્ગના, નોકરી ધંધાના કામમાં પ્રગતિ જણાય પરંતુ બારમા રાહુના કારણે ખર્ચ-ચિંતા રહે. બેંકનું કામ થાય.
 
કન્યા : 
ચિંતા રહે. સંતાનના વિદ્યાભ્યાસ, વિવાહ-લગ્નના કામ અંગે, નોકરી ધંધાના કામ અંગે, બેંકના કામ અંગે વ્યસ્તતા રહે.
 
તુલા : 
પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય પરંતુ નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. ભાગીદારીથી તકલીફ રહે.
 
વૃશ્ચિક : 
બારમો ગુરુ મકાન-વાહન, પુત્ર પૌત્રાદિકના કામમાં ખર્ચ કરાવે. નોકરી ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના કામથી વ્યસ્તતા રહે.
 
ધન : 
નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. કૌટુંબિક-વ્યવહારિક-પારિવારિક કામમાં મતભેદ-વિલંબ થાય.
 
મકર : 
આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. શારીરિક-માનસિક પ્રતિકૂળતા રહે. નાણાંકીય પ્રશ્ને ચિંતા રહે.
 
કુંભ : 
બેંકના કામમાં, સરકારી રાજકીય-ખાતાકીય નાણાંકીય જવાબદારીમાં, નોકરી ધંધાની કામગીરીમાં આપે ધ્યાન રાખવું પડે.
 
મીન : 
આઠમા ગુરુના કારણે પુત્ર પૌત્રાદિકના કામ અંગે, વિવાહ-લગ્નના પ્રશ્ને ચિંતા રહે. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો.
 
જન્મતારીખ વર્ષ સંકેત
 
આજની તારીખે શરૃ થતું આપનું જન્મવર્ષ પુત્ર પૌત્રાદિકની કાર્યસફળતા-પ્રગતિનું રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય. વધારાનો ખર્ચ થાય પરંતુ તકલીફ પડે નહીં. પરદેશની કામગીરી થઈ શકે. 
 
વિશેષમાં...
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં કામની, સ્થળની ફેરફારી થાય. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ હૃદય-મનને વ્યગ્રતા રહે. પરંતુ ખોટા કામ કરવામાં, નાણાંકીય આયોજનોમાં નુકસાન થાય, કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે.
 
પત્ની-સંતાનથી સાનુકૂળતા
આ વર્ષ પત્ની-સંતાન સુખથી આનંદનું રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પરદેશમાં રહેતા સંતાનને મળવાનું થાય. આપને પરદેશ જવાનું થાય. સાંસારિક જીવનના વિવાદનો ઉકેલ આવવાથી હળવાશ રહે.
 
યાત્રા-પ્રવાસ
પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા પ્રવાસ થાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગના સબંધ-સંસ્મરણો તાજા થાય.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે સારી તક પ્રાપ્ત થાય પરંતુ વિદ્યાસંસ્થા-વિદ્યાશાખાની ફેરફારી થાય.
Tags :