Get The App

2026માં 4 વખત ગ્રહણની અશુભ છાયા! જાણો ભારતમાં ક્યારે ક્યારે લાગશે સૂતક

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
2026માં 4 વખત ગ્રહણની અશુભ છાયા! જાણો ભારતમાં ક્યારે ક્યારે લાગશે સૂતક 1 - image

Grahan 2026: નવું વર્ષ 2026 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે અને દરેક વ્યક્તિ જાણવા માગે છે કે આવનારું વર્ષ કેવું રહેશે. લોકો એ પણ જાણવા માગે છે કે નવા વર્ષના આવતા મહિનાઓમાં કઈ મોટી ઘટનાઓ ઘટશે. સૌથી મોટો સવાલ એ છે કે 2026માં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ક્યારે થશે, તે કયા દેશોમાં દેખાશે, અને શું તેનો સૂતક કાળ ભારતમાં પણ લાગશે. તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં ગ્રહણની કઈ-કઈ તિથિઓ હશે. 

2026નું પ્રથમ સૂર્ય ગ્રહણ (Surya Grahan 2026 February)

વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 17 ફેબ્રુઆરી 2026, મંગળવારના રોજ લાગશે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં દેખાશે પરંતુ દક્ષિણ આફ્રિકા, દક્ષિણ આર્જેન્ટિના અને એન્ટાર્કટિકામાં દેખાશે. સંયોગથી આ ગ્રહણ અમાસના દિવસે લાગશે અને વલયાકાર સૂર્યગ્રહણ થશે. આનો અર્થ એ છે કે આકાશમાં સૂર્યની આસપાસ એક આગની જેમ ચમકદાર રીંગ દેખાશે, જેને રીંગ ઓફ ફાયર કહેવામાં આવે છે.

2026નું બીજું સૂર્ય ગ્રહણ (Surya Grahan 2026 August)

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ 12 ઓગસ્ટ 2026, બુધવારના રોજ લાગશે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે, એટલે કે સૂર્ય થોડા સમય માટે સંપૂર્ણપણે ઢંકાય જશે. તે આર્કટિક, ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, સ્પેન, રશિયા અને પોર્ટુગલના ઘણા ભાગોમાં દેખાશે. જોકે, આ ગ્રહણ ભારતમાં નહીં દેખાશે, કારણ કે તે સમયે અહીં રાત્રિ હશે.

2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ

2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ ૩ માર્ચ, મંગળવારના રોજ લાગશે. આ ગ્રહણ ભારત સહિત ઘણા એશિયન દેશોમાં દેખાશે. આ ઉપરાંત તે ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં પણ દેખાશે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે, એટલે કે ચંદ્રનો એક ભાગ કાળો દેખાશે. આ ગ્રહણ સાંજે 6:26 થી 6:46 વાગ્યા સુધી રહેશે, જેનો કુલ સમયગાળો 20 મિનિટનો રહેશે. આ ગ્રહણ હોળીના દિવસે લાગશે.

2026નું બીજું ચંદ્ર ગ્રહણ

2026નું બીજું ચંદ્ર ગ્રહણ 28 ઓગસ્ટના રોજ લાગશે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાશે. જોકે, તે ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં દેખાશે.

આ પણ વાંચો: ઈથેનોલથી નવા કે જૂના વાહનોમાં કોઈ સમસ્યા નથી, હજારો કરોડની બચત કરી: કેન્દ્રનો સંસદમાં દાવો

સૂર્ય ગ્રહણ કેમ લાગે છે?

સૂર્ય ગ્રહણ ત્યારે જ લાગે છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, જેનાથી ચંદ્ર પૃથ્વી પર પોતાનો પડછાયો પાડે છે અને સૂર્યનો પ્રકાશ ઢંકાય જાય છે. આ ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવી જાય છે, જે ખાસ કરીને અમાસ દરમિયાન થાય છે. 

ચંદ્ર ગ્રહણ કેમ લાગે છે?

ચંદ્ર ગ્રહણ ત્યારે લાગે છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે, જેના કારણે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ખગોળીય ઘટના માત્ર પૂર્ણિમાના દિવસે જ બને છે, જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાંથી પસાર થાય છે.