| Image AI |
Govardhan Puja 2025 Date and shubh Muhurat: હિન્દુ ધર્મમાં કારતક મહિનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આખો કારતક મહિનો વિવિધ શુભ તહેવારોથી ભરેલો હોય છે. જો દિવાળીના પંચમહાપર્વમાં આવનારા ત્રીજો તહેવાર ગોવર્ધન પૂજાની વાત કરીએ તો આ વર્ષે આ બુધવાર, 22 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવશે. આખરે આ વર્ષે દિવાળી પછી એક દિવસનો ગેપ કેમ છે? ગોવર્ધન પૂજા માટે સવાર અને સાંજનું શ્રેષ્ઠ મૂહુર્ત કયું છે ? ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 ઓક્ટોબર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે
ગોવર્ધન પૂજા ક્યારે થશે?
પંચાંગ પ્રમાણે કારતક મહિનાના શુક્લપક્ષની શુક્લ પક્ષની પ્રતિપદાની તિથિના દિવસે પૂજા કરવામાં આવે છે, તે આ વર્ષે મંગળવાર, 21 ઓક્ટોબર, 2025 ના રોજ સાંજે 5:54 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે બુધવાર, 22 ઓક્ટોબર, 2025 ના રોજ રાત્રે 8:16 વાગ્યે ચાલુ રહેશે. તેથી, ઉદય તિથિ પ્રમાણે ગોવર્ધન પૂજાનો પવિત્ર ઉત્સવ 22 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે.
ગોવર્ધન પૂજા માટેનું શુભ મૂહુર્ત
આ દિવસે, ગોવર્ધન મહારાજની સવારની પૂજાનો સમય સવારે 6:26 થી 8:42 વાગ્યા સુધી રહેશે. ગોવર્ધન મહારાજના ભક્તો પાસે પૂજા માટે સંપૂર્ણ 2 કલાક અને 16 મિનિટનો સમય રહેશે. જો તમે સાંજે ગોવર્ધન મહારાજની પૂજા કરવા માંગતા હો, તો તેના માટે શુભ સમય બપોરે 3:29 થી 5:44 વાગ્યા સુધીનો રહેશે. આ સમય દરમિયાન તમારી પાસે ગોવર્ધન પૂજા માટે સંપૂર્ણ 2 કલાક અને 17 મિનિટનો સમય પણ રહેશે.
ગોવર્ધન પૂજાનું ધાર્મિક મહત્ત્વ
સનાતન પરંપરામાં કારતક મહિનાના શુક્લ પક્ષમાં ઉજવાતા તહેવારને ગોવર્ધન પૂજા અને અન્નકૂટ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના અવતાર ગણાતા ગોવર્ધન મહારાજની વિધિ- વિધાન મુજબ પૂજા કરવામાં આવે છે. આ તહેવાર મુખ્યત્વે પ્રકૃતિની પૂજા સાથે સંકળાયેલ છે.
આ પણ વાંચો: હાર્ટ એટેકનું જોખમ 80% સુધી ઘટી જશે! નિષ્ણાતે જણાવી 5 સરળ ટિપ્સ
એવી માન્યતા છે કે, આ દિવસે પૂર્ણ અવતાર ગણાતા ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની કનિષ્ઠિકા આંગળી પર ઉપાડ્યો હતો અને દેવતાઓના રાજા ઇન્દ્રના અભિમાન તોડ્યુ હતું. ત્યારથી, આ દિવસને ગોવર્ધન પૂજા તરીકે ઉજવવામાં આવે છે, અને આ દિવસે ગોવર્ધનની પૂજા સાથે તેની પરિક્રમા કરવાનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે.


