ઘરમાં આ દિશામાં જ લગાવો પૂર્વજોની તસવીર, નહીંતર....: જાણો ગરુડ પુરાણના નિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Garud Puran: કહેવાય છે કે કહાની માત્ર શબ્દોમાં જ નથી હોતી, તસવીરોમાં પણ હોય છે. ખાસ કરીને એ લોકોની તસવીરો જે હવે આપણી વચ્ચે નથી. જ્યારે કોઈ પોતાનું આ દુનિયામાંથી જતું રહે છે, ત્યારે તેના મૃત્યુ બાદ ઘરમાં સૌથી વધુ જે વસ્તુ નજર આવે છે, તે તેની તસવીર છે. કપડા અલમારીમાં મૂકી દેવામાં આવે છે, ઘરેણાં તિજોરીમાં મૂકી દેવામાં આવે છે, પરંતુ તસવીરો દિવાલ પર લગાવી દેવામાં આવે છે. અને આ જ તસવીરો દરરોજ તે વ્યક્તિની હાજરીનો અહેસાસ કરાવતી રહે છે.
દિવાલ પર લાગેલી તસવીર માત્ર એક ફોટો નથી હોતી, તે એક યાદ, એક ભાવના અને એક સબંધ હોય છે. તેથી લોકો પોતાના પ્રિયજનોના મૃત્યુ બાદ તેમની તસવીરો ઘરના અલગ-અલગ ભાગમાં લગાવે છે. તેમને લાગે છે કે આવું કરવું એ સન્માન અને પ્રેમનું પ્રતીક છે.
ઘરમાં આ દિશામાં જ લગાવો પૂર્વજોની તસવીર
પૂર્વજોની તસવીરો હંમેશા ઘરની દક્ષિણ અથવા તો પશ્ચિમ દિશાની દિવાલ પર જ લગાવવી જોઈએ. જ્યારે તમે તસવીરોને દક્ષિણ અથવા પશ્ચિમ દિશાની દિવાલ પર લગાવો છો, તો જોતી વખતે પૂર્વજોનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ હોય છે. શાસ્ત્રોમાં ઉત્તર અને પૂર્વ દિશાને દેવતાઓ અને સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવી છે. આ પ્રકારે તસવીર લગાવવાથી પૂર્વજોઓની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.
મૃતક પરિજનોની તસવીર ક્યાં ન લગાવવી જોઈએ?
મંદિર
ગરુડ પુરાણ પ્રમાણે મૃત વ્યક્તિઓનું સન્માન ચોક્કસપણે કરવામાં આવે છે, પરંતુ તેમને દેવી-દેવતાઓ સમાન ન આપી શકાય. તેથી પૂર્વજોની તસવીરોને મંદિરમાં અથવા ભગવાનની તસવીરો સાથે રાખવી એ મર્યાદાની વિરુદ્ધ માનવામાં આવે છે.
સીડી પાસે
ઘરની સીડી પાસે, દરેક રૂમમાં કે લિવિંગ રૂમના ખૂણાઓમાં મૃતકોની તસવીરો લગાવવાથી વાતાવરણ ભારે બની શકે છે. જ્યારે એક જ વ્યક્તિની એકથી વધુ તસવીરો અલગ-અલગ જગ્યાએ લગાવેલી હોય, ત્યારે તે વારંવાર તે દુઃખદ સ્મૃતિઓને તાજી કરે છે. ખાસ કરીને એવી જગ્યાઓ પર જ્યાં આપણે રોજ વધુ સમય વિતાવતા હોઈએ છીએ, ત્યાં આવી તસવીરો મનને ભૂતકાળમાંથી બહાર આવવા નથી દેતી.
જીવિત વ્યક્તિઓ સાથે
ક્યારેય પણ જીવિત વ્યક્તિઓની તસવીરો સાથે મૃતક પરિજનોની તસવીર ફ્રેમ કરાવીને ન લગાવવી. આવું કરવાથી જીવિત વ્યક્તિઓના આયુષ્ય અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.
ઘરના કેન્દ્રમાં
ઘરના કેન્દ્ર અથવા મધ્ય ભાગમાં (બ્રહ્મસ્થાનમાં) પૂર્વજોની તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ. આવું કરવાથી ઘરના સભ્યોના સન્માન અને પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે.
કિચન
કિચનમાં પૂર્વજો કે મૃતક પરિજનોની તસવીરો લગાવવાથી ઘરમાં કલેશ અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
તસવીર લગાવતી વખતે ધ્યાન રાખવા જેવા યોગ્ય જરૂરી નિયમ
- તસવીરને દીવાલ પર લગાવવાને બદલે કોઈ સ્ટેન્ડ કે શેલ્ફ પર રાખવી વધુ ઉત્તમ માનવામાં આવે છે.
- ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અથવા એવી જગ્યાએ જ્યાં આવતા-જતા દરેક બહારના વ્યક્તિની સીધી નજર પડે, ત્યાં પૂર્વજોની તસવીર ન લગાવવી જોઈએ.
- ક્યારેય પણ એવી તસવીર ન લગાવવી જોઈએ જેમાં પૂર્વજો ઉદાસ, બીમાર કે કષ્ટમાં દેખાતા હોય. હંમેશા તેમની સ્મિત કરતી તસવીર જ લગાવવી જોઈએ.
શું કરવું જોઈએ?
- પૂર્વજોની તસવીરો હંમેશા મર્યાદિત સંખ્યામાં રાખો.
- તેમની તસવીરને સન્માનજનક સ્થાન આપો.
સનાતન પરંપરા તસવીરોને હટાવવાની નહીં, પરંતુ તેમને યોગ્ય સ્થાન અને મર્યાદા સાથે રાખવાની વાત કરે છે. શાસ્ત્રોનો ઉદ્દેશ્ય ડર પેદા કરવાનો નથી, પરંતુ લાગણીઓને સંતુલિત કરવાનો છે. કેટલીક તસવીરો પ્રેરણા બને છે. પરંતુ, જ્યારે એ જ તસવીરો માણસને વારંવાર વીતી ગયેલા ભૂતકાળ સાથે બાંધવા લાગે, ત્યારે શ્રદ્ધા નહીં પણ જીવનમાં સ્થિરતા આવવા લાગે છે. તસવીરોનું કામ યાદોને સન્માન આપવાનું છે, નહીં કે ઘરને વીતેલા સમયમાં કેદ કરી દેવાનું. તેથી તમારા પૂર્વજોને દિલમાં રાખો, એ પણ મર્યાદાની સાથે.









