Get The App

દિવાળીના દિવસે ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, મા લક્ષ્મી પૈસાનો ખડકલો સર્જી દેશે!

Updated: Oct 26th, 2024

GS TEAM


Google News
Google News
દિવાળીના દિવસે ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, મા લક્ષ્મી પૈસાનો ખડકલો સર્જી દેશે! 1 - image


Image: Facebook

Diwali 2024: આ વખતે દિવાળી 31 ઑક્ટોબર ગુરુવારે મનાવવામાં આવશે. હિંદુ પંચાંગ અનુસાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ દિવાળી મનાવવામાં આવશે. 

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે જેનાથી ઘરમાં પ્રગતિ થાય છે. દરમિયાન દિવાળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ વસ્તુઓને ઘરે લાવવી ખૂબ શુભ માનવામાં આવે છે. 

લક્ષ્મી ગણેશની મૂર્તિ

દિવાળી પર લક્ષ્મી ગણેશની મૂર્તિ ખરીદવી શુભ માનવામાં આવે છે કેમ કે આ દિવસે લક્ષ્મી ગણેશની પૂજા થાય છે.

નવા વસ્ત્ર

દિવાળી પર નવા વસ્ત્ર ખરીદવાનું પણ વિધાન છે. જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ઇચ્છો છો તો તેમના માટે લાલ રંગના વસ્ત્ર ખરીદીને જરૂર લાવો.

ગોમતી ચક્ર

શાસ્ત્રોમાં ગોમતી ચક્રને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. ઘર પરિવારમાં સંપન્નતા માટે દિવાળી પર 11 ગોમતી ચક્ર ખરીદો અને માતા લક્ષ્મીને અર્પણ કરો.

આ પણ વાંચો: Diwali 2024: દિવાળીના અવસર પર લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ કેમ થાય છે પૂજા? જાણો શું છે માન્યતા

શ્રીયંત્ર

દિવાળી પર શ્રીયંત્ર જરૂર ખરીદવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.

મોરપીંછ

દિવાળીના દિવસે મોરપીંછ પણ લાવવામાં આવી શકે છે. મોરપીંછને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવા જોઈએ અને આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.

ધાતુનો કાચબો

દિવાળીના દિવસે ઘરમાં ધાતુનો કાચબો લાવવો પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ધાતુનો કાચબો લાવવાથી ઘરમાં ગુડલક આવે છે.

Tags :