Shani Vakri 2026: કર્મ અને ન્યાયના દેવતા શનિની ચાલ બદલાવાની છે. દ્રિક પંચાંગ અનુસાર, શનિદેવ 27 જુલાઈએ વક્રી થવાના છે. એટલે કે આ દિવસે મીન રાશિમાં શનિની ચાલ ઉલટી થઈ જશે. આ પછી શનિ 11 ડિસેમ્બર સુધી આ જ અવસ્થામાં રહેવાના છે. જ્યોતિષીઓનું કહેવું છે કે શનિનું વક્રી થવું ત્રણ રાશિઓ માટે ચિંતાજનક હોઈ શકે છે. શનિની ઉલટી ચાલ શરૂ થતાં જ ત્રણ રાશિના જાતકોએ આશરે ચાર મહિના ખૂબ સાવધાનીથી રહેવું પડશે.
મેષ રાશિ
શનિની વક્રી ચાલ મેષ રાશિવાળાઓ માટે પડકારજનક માનવામાં આવી રહી છે. તમારે કરિયરમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે મતભેદ થવાની આશંકા રહેશે. કામકાજમાં દબાણ અનુભવાશે. બનેલા કાર્યો પણ તમારા બગડી શકે છે. વૈવાહિક જીવનમાં પણ ખટરાગ અને વિવાદની સ્થિતિ રહેશે. ધીરજથી કામ લેવું વધુ હિતાવહ.
કુંભ રાશિ
શનિ વક્રી તમારા માટે પણ નુકસાનદાયક હોઈ શકે છે. શનિની ચાલ પલટી જતાં જ રોકાણથી બચવાની સલાહ છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો આર્થિક નુકસાન આપશે. કરિયરની દ્રષ્ટિએ સમય થોડો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. વ્યાવસાયિક મોરચે નાની અમથી ભૂલ પણ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. એકાગ્રતા ઓછી થવાથી કામની ગુણવત્તા પર પણ ખરાબ અસર પડશે. સંબંધોના મામલામાં પણ સ્થિતિ ચિંતાજનક રહી શકે છે.
મીન રાશિ
શનિની ઉલટી ચાલ વ્યાવસાયિક મોરચે પરેશાન કરી શકે છે. માનસિક પરેશાની વધી શકે છે. તમે જે કાર્યોને ખૂબ જ લગનથી પૂરા કરવામાં લાગેલા છો, તેમાં અસફળ થઈ શકો છો. મિત્રો અને સંબંધીઓથી પણ તમે વિખૂટા થઇ શકો છો. આ સમયગાળા દરમિયાન ખૂબ જ મુશ્કેલીથી કોઈની સાથે તમારું મન મેળ થશે. વાત-વાતમાં લોકો સાથે મનદુઃખ થઈ શકે છે. ધૈર્ય અને શિસ્ત સાથે આગળ વધવું જ યોગ્ય રહેશે.
આ પણ વાંચો: ત્રણ શુભ ગ્રહોની મહા યુતિ! સરસ્વતી યોગથી આ 6 રાશિ માટે ખૂલશે સફળતાના દ્વાર
શું ઉપાય કરવા?
શનિના વક્રી થયા પછી કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને ફાયદો થઈ શકે છે. દર શનિવારે 'ॐ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રની ત્રણ માળાનો જાપ કરો. શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેની સાત વાર પરિક્રમા કરો. મજૂર, નબળા કે પીડિત વર્ગ સાથે અન્યાય ન કરો.
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.


