Get The App

2026માં કેતુની ચાલ 3 રાશિને પડશે ભારે, રાહુ દરેક કામમાં અવરોધ બનશે, જાણો ઉપાય

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
2026માં કેતુની ચાલ 3 રાશિને પડશે ભારે, રાહુ દરેક કામમાં અવરોધ બનશે, જાણો ઉપાય 1 - image


Ketu Transit 2026: જ્યોતિષશાસ્ત્રમાં છાયા ગ્રહ ગણાતા રાહુ અને કેતુનું ગોચર વર્ષ 2026માં અનેક રાશિઓના જીવનમાં મોટા પરિવર્તન લાવશે. ખાસ કરીને, રહસ્યમય ઊર્જા ધરાવતા કેતુની ગતિ વૃષભ, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે પડકારજનક સમય લઈને આવી શકે છે, જ્યાં રાહુનો પ્રભાવ પણ કાર્યમાં અવરોધ પેદા કરી શકે છે.

વર્ષ 2026માં કેતુ અને રાહુનું મુખ્ય ગોચર

વર્ષ 2026 દરમિયાન કેતુ અને રાહુ બંનેની ચાલ બદલાશે, જે જ્યોતિષીય દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે. કેતુ 29મી માર્ચ 2026ના રોજ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 25મી નવેમ્બરે આશ્લેષા નક્ષત્રમાં અને 5મી ડિસેમ્બર 2026ના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. રાહુ બીજી ઓગસ્ટ 2026ના રોજ કુંભ રાશિમાં ધનિષ્ઠા નક્ષત્રમાં અને પાંચમી ડિસેમ્બર 2026ના રોજ મકર રાશિમાં ગોચર કરશે. આ ગોચરને કારણે કુલ ત્રણ રાશિઓ પર નકારાત્મક અસર થવાની સંભાવના છે.

આ પણ વાંચો: 2026માં મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે, મંગલ-ચંદ્રની યુતિથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!

કઈ રાશિના જાતકો માટે પડકારજનક સમય?

વૃષભ રાશિ: વૃષભ રાશિના જાતકો માટે 2026 કૌટુંબિક અને સામાજિક સ્તરે પડકારજનક સાબિત થઈ શકે છે. નજીકના લોકો સાથે મતભેદ વધવાની શક્યતા હોવાથી વિવાદ ટાળવો. જોખમી રોકાણો અને નવા વ્યવસાયિક કરારોમાં સાવધાની જરૂરી છે. ગેરસમજણોને કારણે પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે. નવા સંબંધો શરૂ કરવા માટે આ સમય અનુકૂળ નથી.

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોએ 2026માં ખાસ સાવધાની રાખવાની સલાહ છે. વ્યવસાય અને રોકાણોમાં અચાનક નુકસાન થવાની શક્યતા છે, તેથી જોખમી નિર્ણયો ટાળવા. માનસિક તણાવ અને બિનજરૂરી ચિંતાઓ વધી શકે છે. સ્વાસ્થ્ય માટે તણાવ અને થાક ટાળવો. ખર્ચ અને રોકાણો પર નિયંત્રણ રાખવું આવશ્યક છે.

કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2026 સખત મહેનત અને માનસિક દબાણનો સમય રહેશે. બાકી રહેલા કેસ અને કાનૂની વિવાદોમાં સાવધાની રાખવી. વ્યવસાય અને રોકાણમાં જોખમ લેવાનું ટાળો. પ્રેમ અને પારિવારિક જીવનમાં સંયમ જરૂરી છે. સંતુલિત દિનચર્યા, યોગ અને ધ્યાન સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે.

કેતુ દોષને શાંત કરવાના જ્યોતિષીય ઉપાયો

કેતુની નકારાત્મક અસરોને ઘટાડવા માટે નીચે મુજબના ઉપાયો કરવાની સલાહ આપવામાં આવે છે

•ગણેશ પૂજા: દરરોજ સવારે 'ૐ ગણ ગણપતયે નમઃ' મંત્રનો 108 વખત જાપ કરો. બુધવાર અને શનિવારે આ ઉપાય ખાસ લાભદાયક છે.

•કેતુ મંત્ર: શનિવારે રુદ્રાક્ષ કે ચંદનની માળાથી 108 વાર 'ૐ કેં કેતવે નમઃ'નો જાપ કરો.

•દાન: શનિવારે કાળા તલ, અડદની દાળ અથવા ધાબળો દાન કરો. ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું પણ શુભ માનવામાં આવે છે.

•શ્વાનની સેવા: શનિવારે કાળા કે ભૂરા શ્વાનને રોટલી ખવડાવો, જે કેતુની નકારાત્મક ઊર્જાને શાંત કરે છે.