જિલ્લાના વડામથક મોડાસામાં વેપારીઓએ બે કલાકનો બંધ પાડયો
- નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં મોડાસા અને ખેડબ્રહ્મામાં વિશાળ રેલી
- મોડાસાના ચાર રસ્તા ખાતે સભા બાદ આયોજકો અને અગ્રણીઓ દ્વારા જનસમર્થનના મુદ્દે આવેદનપત્ર અપાયું
મોડાસા,તા.24 ડિસેમ્બર, 2019,
મંગળવાર
અરવલ્લી જિલ્લાના વડામથક
મોડાસા ખાતે નાગરિક જાગરણ સમિતિ દ્વારા સીટીજન અમેંડમેન્ટ એકટના જન સમર્થનમાં યોજાયેલ
રેલીમાં હજારો જિલ્લાવાસીઓ,અગ્રણીઓ,વેપારીઓ ઉમટી પડયા હતા.નગરના કલ્યાણ ચોકથી યોજાયેલ અઢી કીલો મીટરના અંતરની
આ રેલીમાં કાયદાના સમર્થનમાં પ્રંચડ સૂત્રોચ્ચાર કરાયો હતો.જયારે જંગી રેલી બાદ આ જન
સમર્થનના મુદ્દે જિલ્લાના અધિક કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.
દેશની સંસદમાં તાજેતરમાં
મંજૂર કરાયેલા સીટીઝન એમેડમેન્ટ એકટ(સીએએ) અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ ને લઈ મીશ્ર
પ્રતિભાવો જોવા મળી રહયા છે.દેશના કેટલાક સ્થળોએ આ કાયદાનો વિરોધ કરાયો છે.જયારે કેટલાય
સ્થળોએ જનસમર્થન અપાયું છે.અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મંગળવારના રોજ આ કાયદાને જન
સમર્થન વ્યક્ત કરવા જંગી રેલીનું આયોજન કરાયું હતું.
નાગરિક જાગરણ સમિતિ દ્વારા
યોજાયેલ જંગી રેલીનો પ્રારંભ નગરના કલ્યાણ ચોકથી કરાયો હતો.નગરના જુદાજુદા વિસ્તારોમાં
થઈ આ જંગી રેલી નગરના હાર્દ સમા ચાર રસ્તા વિસ્તારમાં આવી પહોંચતાં રેલી સભામાં ફેરવાઈ
હતી.જયાં અગ્રણી ઓ દ્વારા આ કાયદા અંગે સમજ પૂરી પાડી કાયદા અંગે ગેરસમજ દૂર કરવા જરૃરી
માર્ગદર્શન પુરૃ પડાયું હતું. જયારે સભા બાદ નાગરિકતા સુધારા કાયદા અને નેશનલ રજીસ્ટર
ઓફ સીટીઝન કાયદાને જન સમર્થન ના મુદ્દે જિલ્લા અધિક કલેકટર ને આવેદનપત્ર અપાયું હતું.
આ જંગી રેલીમાં રાજયના અન્ન
અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠક, પ્રદેશ ભાજપા મંત્રી હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા ભાજપા પ્રમુખ રણવીરસિંહ ડાભી સહિતના અગ્રણીઓ વિવિધ સંગઠનોના હોદ્દેદારો,
વેપારી એશોશીયેશન, સામાજીક જુથો ના અગ્રણીઓ તેમજ
વેપાર-ધંધા સજ્જડબંધ રાખી વેપારીઓ સહિત નગરજનો અને જિલ્લાવાસીઓ મોટીસંખ્યામાં જોડાયા
હતા.