Get The App

આજે સોમવતી અમાસ-દિવાસો સાથે દશામાના વ્રતનો પ્રારંભ

- 10 દિવસ સુધી શ્રધ્ધાળુઓ દશામાની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે

- 10 દિવસ સુધી શ્રધ્ધાળુઓ દશામાની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News
આજે સોમવતી અમાસ-દિવાસો સાથે દશામાના વ્રતનો પ્રારંભ 1 - image

ધનસુરા,તા.19 જુલાઈ, 2020, રવિવાર

આજે સોમવાર-સોમવતી અમાસ છે અને દિવસાનો તહેવાર છે.તેની સાથે આજથી મા દશામા ના વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે.ત્યારે મહિલાઓ અને શ્રધ્ધાળુઓ માતાજીની મૂર્તિની ઘરે સ્થાપના કરી ૧૦ દિવસ શ્રધ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી ભક્તિ ભાવ સભર ઉપવાસ કરી વ્રત કરી ધન્યતા અનુભવશે. આજે સોમવાર સોમવતી અમાસ છે.અને દિવાસાથી તહેવારનોનો પ્રારંભ થાય છે.દિવાસાથી મા દશામા ના વ્રતનો પ્રારંભ થાય છે.ત્યારે દશામા ની મૂર્તિ ખરીદવા મહિલાઓની બજારમાં ભીડ જોવા મળી રહે છે.

શ્રધ્ધાળુઓ ૧૦ દિવસ સુધી માતાજીની મૂર્તિની પૂજા અર્ચના,નૈવેધ આરતી કરી ભક્તિભાવ સભર ઉપવાસ કરી વ્રત કરશે.જેની તૈયારીઓમાં માતાજીની પૂજા માટે પુજાપો,ચુંદડી,શણગાર વગેરે ખરીદી કરી શ્રધ્ધાપૂર્વક પોતાના ઘરે માતાજીની સ્થાપના કરી મા ના ગુણગાન સાથે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે.

Tags :