વડાલીના ભવાનગઢ પંથકમાં ઈયળો ઉપદ્રવથી દિવેલાના પાકનો સોથ વળ્યો
- ઇયળોના કારણે દિવેલાનો પાક સુકાયો
- ગણતરીના દિવસોમાં ઈયળો ખેતરોનો સફાયો કરતા ખેડૂતોની નુકસાન : સર્વે કરી વળતર આપવાની માંગણી
વડાલી તા.15
વડાલી તાલુકાના ભવાનગઢ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ઈયળોના
ઉપદ્રવથી દિવેલાનો લીલોછમ પાક નાશ પામતા ખેડુતો પાયમાલ બની ગયા છે.જે ઈયળોને કાબુ કરવા
પાકમાં જંતુનાશક દવાઓનો છટકાવ કરવા છતાં તે
કાબુમાં ન આવતા ગણતરીના દિવસોમાં ઈયળો ખેતરોના ખેતરોનો સફાયો બોલાવી દેતા મોટુ નુકસાન
થતા જવાબદાર તંત્ર દ્વારા નુક્સાનીનો સર્વે કરી વળતર આપવા ખેડુતો ઉગ્ર માંગ કરી છે.
દિવેલાના ભાવો ગતવર્ષે પોષણક્ષમ મળતા વડાલી તાલુકાના ખેડુતોએ
ચાલુસાલે મોટા ભાગની ખેતીલાયક જમીનમાં દિવેલાનું વાવેતર કર્યું છે.જેમાં તાલુકાના ભવાનગઢ,રહેડા,મઠ આસપાસના ગામોના
ખેડુતોએ દિવેલાનુ સારા બિયારણ ખરીદી ચાલુસાલે મોટાપ્રમાણમાં વાવેતર કર્યું હતું.સારૃ
ઉત્પાદન મેળવવા ખેડુતોએ જંતુનાશક દવાઓ,ખાતર તેમજ
ખેડામણ કરી પાકનો ઉછેર કર્યો હતો.પરંતુ તાલુકામાં ચાલુસાલે ચોમાસામાં નહીવત વરસાદ પડતા
બોર અને કુવાઓમાં પાણી ઊંડા જતા લોબા સમયના દિવેલાના પાકને જીવીત રાખવો ખેડુતો માટે
મુશ્કેલ બન્યો હતો.આ વિસ્તારના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી દિવેલાના પાકમાં ઈયળો
મોટા પ્રમાણમાં પડી છે.જે ઈયળો ગણતરીના દિવસોમાં દિવેલાની માળ તેમજ પાનડાઓ ખાઈ જઈ પાકનો
સફાયો કરી રહી છે.જે ઈયળો દિવસેને દિવસે દિવેલાના ખેતરોના ખેતરોનો સફાયો બોલાવતા ખેડુતો
મોમો આવેલો કોળીયો છીનવાઈ જઈ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ઈયળો દિવેલાના ખેતરોનો
સફાયો બોલાવતા ઉનાળામાં સુકાભઠ્ઠ દેખાતા દિવેલાના ખેતરો ચોમાસામાં દેખાવા લાગતા ખેડુતોના
પગતળેથી જમીન સરકી રહી છે.જે ઈયળો પર કાબુ મેળવવા જંતુનાશક દવાઓનો છટકાવ કરવા છતાં
કાબુમાં ન આવતા ખેડુતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવતા જવાબદાર તંત્ર દ્વારા નુક્સાનીનો
સર્વે કરી યોગ્ય વળતર આપવા ખેડૂતો માંગ કરવા લાગ્યા છે.