અરવલ્લી જિલ્લામાં મગફળીના પાકમાં લીલી ઈયળોનો ઉપદ્વવ વધ્યો
- જિલ્લામાં સૌથી વધુ 73 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર
- સિસોદરા, ઈપલોડા, કંભરોડા પંથકમાં મગફળીમાં લીલી ઈયળનો ઉપદ્વવ નાથવા દવાનો છંટકાવ મટે ખેડૂતોની મથામણ
મોડાસા,તા.28 જુલાઈ, 2020, મંગળવાર
અરવલ્લી જિલ્લામાં ૭૩ હજાર
હેકટર જમીનમાં મગફળીનું વિક્રમજનક વાવેતર કરાયું છે.ત્યારે જિલ્લાના કંભરોડા,સિસોદરા,ઈપલોડા અને માલપુરમાં
મગફળીનું મોટાપ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યુ
છે.પરંતુ મગફળીના પાકમાં લીલી ઈયળ પડતાં છોડને કોતરી ખાય છે.જેથી પાકનો સફાયો
થઈ જાય છે. જેથી આ પંથકના ખેડૂતો મગફળીના પાકને બચાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ
કરી રોગને નિયંત્રણમાં લેવા મથી રહયા છે.પરંતુ મગફળીના પાકમાં મોટાભાગે ઈયળનું પ્રમાણ
વધુ હોવાથી મોટુ નુકશાન થવાની સંભાવના છે.ખેતીવાડી વિભાગ દ્વારા આ પંથકમાં સર્વે કરી
રોગને નિયંત્રણમાં લેવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહયા છે.
ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત
સમયસર થઈ હતી.ત્યારે ખેડૂતોએ સારા ઉત્પાદનની આશા સાથે જિલ્લામાં ૭૩ હજાર હેકટર કરતા
વધુ જમીનમાં મગફળીનું વાવેતર કર્યું છે.મોંઘા ભાવના ખાતર બિયારણ પણ નાખ્યા છે.પણ હાલ
વરસાદ ખેંચાયો છે.જેના કારણે મગફળીના પાકમાં લીલી ઈયળોનો ઉપદ્વવ શરૂ થયો છે.જેના કારણે
મગફળીનો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે.મગફળીના પાન અને અંદરના મૂળને જીવાત કોતરી ખાઈ
ગઈ છે.જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ ચાલુ સાલે મગફળીનું વાવેતર કર્યું છે શરૂઆતમાં વરસાદ
પણ સારો પડયો હતો.પરંતુ થોડા દિવસથી વરસાદ ખેંચાયો છે.જેના કારણે મગફળીમાં લીલી ઈયળો
અને અન્ય જીવાત પડી છે.
જેના કારણે સંપૂર્ણ પાક નષ્ટ
થવાના આરે છે.ત્યારે ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ મગફળીના પાકમાં મોંઘા ભાવના બિયારણ
ખાતર બધુ જ માથે પડે તેમ છે.ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા મેઘરજ પંથકના કંભરોડા, ઈપલોડા, સિસોદરા અને માલપુરમાં
ખેડૂતોના ખેતરોમાં સર્વે હાથ ધરવામાં આવે અને મગફળીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં
આવે એવી આ પંથકના ખેડૂતોએ માંગ કરી છે.
લીલી ઈયળના ઉપદ્રવથી નુકશાન થવાની સંભાવના
કંભરોડાના ખેડૂત અગ્રણી લાલસિંહે જણાવ્યું હતું કે
આ પંથકમાં શરૂઆતમાં વરસાદ સારો થતાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યુ છે.પરંતુ કંભરોડા,ઈપલોડા,સિસોદરા સહિત ના
ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ મગફળીમાં લીલી ઈયર નો ઉપદ્વવ વધી જતાં ખેડૂતો આ રોગને
નિયંત્રણમાં લેવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરી રહયા છે.જો લીલી ઈયળનો રોગ નિયંત્રણમાં
નહી આવે તો ખેડૂતોને મોટુ નુકશાન થવાની સંભાવના દેખાઈ રહી છે.જેથી ખેતીવાડી વિભાગ દ્વારા
સર્વે હાથ ધરી ખેડૂતોના મગફળીના મહામૂલા પાકને બચાવવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી
ખેડૂતોની માંગણી છે.