બોલુન્દ્રા ગામે સાસરીયાના ત્રાસથી પરિણીતાની કૂવામાં મોતની છલાંગ
- સાસરીયાઓ ત્રણ માસથી ત્રાસ આપી રહ્યાં હતા
- પરિણીતાને મરવા સુધીનું દુષ્પ્રેરણ કરનાર પતિ સહિત ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો
મોડાસા,તા.8 એપ્રિલ, 2020,
બુધવાર
મોડાસા તાલુકાના
બોલુન્દ્રા ગામે પતિ સહિત સાસરીયાઓના ત્રાસ થી પરણિતાને કૂવામાં મોતની છલાંગ લગાવી
જીવન ટૂંકાવાનો વારો આવ્યો હતો. 22
વર્ષિય કોડીલી પરણિતાની આ ચકચારી આત્મહત્યાને લઈ સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી
હતી.
જયાર મૃતકના પિતા એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને નોંધાવેલ
ફરીયાદના આધારે પોલીસે પતિ સહિત સાસુ અને સસરા વિરૂધ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા તાલુકાના
ચારણવાડા ગામના દેવકરણસિંહ પરમાર ની દિકરી નેહાબેન ને સામાજીક રીત રીવાજ મુજબ
તાલુકાના બોલુન્દ્રા ગામના કરણસિંહ જોડે પરણાવાઈ હતી.લગ્ન જીવનના શરૂઆતના દિવસો
સારા પસાર બાદ આ સાસરીયાઓએ પ્રોત
પ્રકાશ્યું હતું.અને પતિને ચઢામણ કરી આ 22 વર્ષિય પરીણતાને શારિરીક અને માનસિક ત્રાસ અપાઈ રહયો હતો. મહેણાં ટોણા
મારી પતિ અને સાસુ-સસરાર દ્વારા વારંવાર ત્રાસ આપી તુ તારા બાપાના ઘરે જતી રહે
તેવી ધમકી પણ અપાતી હતી.આખરે આ ત્રાસ થી કંટાળી ગયેલી નેહાબેને બુધવારના રોજ કુવામાં કૂદી જીવન
ટૂંકાવી નાખ્યું હતું. 22 વર્ષિય પરણીતાના આપઘાત ને લઈ
પંથકમાં સાસરીયાઓ વિરૂધ્ધ ફીટકાર વરસ્યો હતો.ચારણવાડ ના દેવકરણસિંહ સોમસિંહ પરમાર
નાઓ એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદને લઈ પોલીસે
કરણસિંહ ધુળસિંહ પરમાર,ધુળસિંહ છગનસિંહ પરમાર અને ગીતાબેન
ધુળસિંહ પરમાર નાઓ વિરૂધ્ધ ઈપીકો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.