Get The App

નાપડા-ખાલસાના અપહૃત બાળકનો તળાવમાંથી મૃતદેહ મળતા તર્કવિતર્ક

- ગુરૂવારે નવ વર્ષના બાળકનું અપહરણ કરાયું

- કારમાં આવેલા ત્રણ શખ્સો બાળકને લઇને નાસી છુટયા : બાળકના મૃતદેહની પીએમ માટે મોકલી પોલીસે તપાસ હાથ ધરી

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
નાપડા-ખાલસાના અપહૃત બાળકનો તળાવમાંથી મૃતદેહ મળતા તર્કવિતર્ક 1 - image

મોડાસા,તા.10 જુલાઈ, 2020, શુક્રવાર

ભિલોડા તાલુકાના નાપડા-ખાલસા ગામનો ૯ વર્ષનો બાળકનું  ગુરૂવારે અપહરણ કરાયું હતું.જેનો આજે શુક્રવારના રોજ નાપડા નજીક આવેલ તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

આમ બાળકનો મૃતદેહ મળી આવતાં આ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ મૃતદેહને શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી અપાયો હતો.આખીય ઘટનાની તપાસ શામળાજી પોલીસે હાથ ધરી છે.

ભિલોડાના નાપડા-ખાલસા ગામનો સુમિતભાઈ ભૂપતભાઈ વણજારા(ઉ.વ.૯)ને લલચાવી ફોસલાવી ગુરૃવારના રોજ અપહરણ કરાયું હતું. અજાણી  કારમાં ૩ જેટલા અજાણ્યા માણસોએ ભૂપતભાઈ વણજારાના નવ વર્ષના દિકરા સુમિતભાઈ નું નાપડા-ખાલસા ગામેથી અપહરણ કરી નાસી છુટયા હતા.જેથી આ અંગે દિકરાના પિતા ભૂપતભાઈ જેશાભાઈ વણજારા એ શામળાજી પોલીસ સ્ટેશનમાં તા.૯/૭/૨૦ ના રોજ ૧૦ વાગ્યાના સુમારે ફરીયાદ નોંધાવી હતી. આમ  અપહરણ થયેલા બાળકનો મૃતદેહ આજે શુક્રવારે નાપડા-ખાલસા નજીક તળાવમાંથી મળી આવ્યો હતો.વહેલી સવારે માસૂમ બાળકનો મૃતદેહ મળતા આ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.કયા કારણોસર આ બાળકનું અપહરણ કરાયું અને તેને મોતને ઘાટ ઉતારી અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયા છે. આ રહસ્ય અંકબંધ છે.અપહરણ કરેલા નવ વર્ષના માસૂમ બાળકનો તળાવમાંથી મૃત હાલતમાં દેહ મળી આવતા પરિવારજનોમાં આંક્રદ સાથે ચોધાર આંસુ એ હાજર લોકો પણ રડી પડયા હતા.

કારમાં આવેલા ત્રણ શખ્સો કોણ ?

ભિલોડાના નાપડા-ખાલસા ગામમાંથી ગઈ કાલે ભૂપતભાઈ વણજારાના નવ વર્ષના સુમિત નું અજાણ્યા ૩ શખ્શો સીફટ કાર લઈ નાપડા ખાલસા ગામે આવ્યા હતા.અને આ નવ વર્ષના બાળકનું અપહરણ કરી નાસી છુટયા હતા.સીફટ કારમાં આવેલા અજાણ્યા ૩ શખ્શો કોણ? તેની તટસ્થ તપાસની માંગ ગામ લોકોએ કરી હતી. આમ રમતા ૯ વર્ષના બાળકને ઉઠાવી લઈ જઈ તળાવમાં ફેંકી દહી મોતને ઘાટ ઉતારાતા ફીટકાર વરસાવ્યો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ અંગે ઈન્ચાજ પી.એસ.આઈ અનંત દેસાઈ એ જણાવ્યું હતું કે ગઈ કાલે આ બાળક ગૂમ થયાની ફરીયાદ તેના પિતાએ નોંધાવી હતી.તપાસ ચાલી રહી હતી.તે દરમ્યાન નાપડા-ખાલસા ગામના નાના તળાવમાંથી આજે શુક્રવારે આ બાળકની લાશ મળી આવી હતી.આ મૃતદેહને પી.એમ.માટે મોકલી તજવીજ હાથ ધરાઈ છે.હાલ પ્રાથમિક તપાસમાં પાણી પી જવાથી મોત નીપજયું હોવાનું લાગી રહયું છે.વધુ તપાસના અંતે ખબર પડશે.

Tags :