નાપડા-ખાલસાના અપહૃત બાળકનો તળાવમાંથી મૃતદેહ મળતા તર્કવિતર્ક
- ગુરૂવારે નવ વર્ષના બાળકનું અપહરણ કરાયું
- કારમાં આવેલા ત્રણ શખ્સો બાળકને લઇને નાસી છુટયા : બાળકના મૃતદેહની પીએમ માટે મોકલી પોલીસે તપાસ હાથ ધરી
મોડાસા,તા.10 જુલાઈ, 2020,
શુક્રવાર
ભિલોડા તાલુકાના
નાપડા-ખાલસા ગામનો ૯ વર્ષનો બાળકનું ગુરૂવારે
અપહરણ કરાયું હતું.જેનો આજે શુક્રવારના રોજ નાપડા નજીક આવેલ તળાવમાંથી મૃતદેહ મળી
આવ્યો હતો.
આમ બાળકનો મૃતદેહ મળી
આવતાં આ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ મૃતદેહને શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે
પીએમ માટે મોકલી અપાયો હતો.આખીય ઘટનાની તપાસ શામળાજી પોલીસે હાથ ધરી છે.
ભિલોડાના નાપડા-ખાલસા ગામનો
સુમિતભાઈ ભૂપતભાઈ વણજારા(ઉ.વ.૯)ને લલચાવી ફોસલાવી ગુરૃવારના રોજ અપહરણ કરાયું
હતું. અજાણી કારમાં ૩ જેટલા અજાણ્યા
માણસોએ ભૂપતભાઈ વણજારાના નવ વર્ષના દિકરા સુમિતભાઈ નું નાપડા-ખાલસા ગામેથી અપહરણ
કરી નાસી છુટયા હતા.જેથી આ અંગે દિકરાના પિતા ભૂપતભાઈ જેશાભાઈ વણજારા એ શામળાજી
પોલીસ સ્ટેશનમાં તા.૯/૭/૨૦ ના રોજ ૧૦ વાગ્યાના સુમારે ફરીયાદ નોંધાવી હતી. આમ અપહરણ થયેલા બાળકનો મૃતદેહ આજે શુક્રવારે
નાપડા-ખાલસા નજીક તળાવમાંથી મળી આવ્યો હતો.વહેલી સવારે માસૂમ બાળકનો મૃતદેહ મળતા આ
પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.કયા કારણોસર આ બાળકનું અપહરણ કરાયું અને તેને
મોતને ઘાટ ઉતારી અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયા છે. આ રહસ્ય અંકબંધ છે.અપહરણ કરેલા નવ
વર્ષના માસૂમ બાળકનો તળાવમાંથી મૃત હાલતમાં દેહ મળી આવતા પરિવારજનોમાં આંક્રદ સાથે
ચોધાર આંસુ એ હાજર લોકો પણ રડી પડયા હતા.
કારમાં આવેલા ત્રણ શખ્સો
કોણ ?
ભિલોડાના નાપડા-ખાલસા
ગામમાંથી ગઈ કાલે ભૂપતભાઈ વણજારાના નવ વર્ષના સુમિત નું અજાણ્યા ૩ શખ્શો સીફટ કાર
લઈ નાપડા ખાલસા ગામે આવ્યા હતા.અને આ નવ વર્ષના બાળકનું અપહરણ કરી નાસી છુટયા
હતા.સીફટ કારમાં આવેલા અજાણ્યા ૩ શખ્શો કોણ? તેની તટસ્થ તપાસની માંગ ગામ લોકોએ કરી હતી. આમ રમતા ૯ વર્ષના બાળકને ઉઠાવી
લઈ જઈ તળાવમાં ફેંકી દહી મોતને ઘાટ ઉતારાતા ફીટકાર વરસાવ્યો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ અંગે ઈન્ચાજ પી.એસ.આઈ
અનંત દેસાઈ એ જણાવ્યું હતું કે ગઈ કાલે આ બાળક ગૂમ થયાની ફરીયાદ તેના પિતાએ
નોંધાવી હતી.તપાસ ચાલી રહી હતી.તે દરમ્યાન નાપડા-ખાલસા ગામના નાના તળાવમાંથી આજે
શુક્રવારે આ બાળકની લાશ મળી આવી હતી.આ મૃતદેહને પી.એમ.માટે મોકલી તજવીજ હાથ ધરાઈ
છે.હાલ પ્રાથમિક તપાસમાં પાણી પી જવાથી મોત નીપજયું હોવાનું લાગી રહયું છે.વધુ
તપાસના અંતે ખબર પડશે.