મોડાસા,તા. 5
ગૌણ સેવા પસંદગી મંડળ યોજીત હેડકલાર્કની પરીક્ષાના પેપર
લીકેજ કાંડ બાદ ઊર્જા વિભાગનું ભરતી કૌભાંડ ચર્ચાના ચગદોળે ચડયું છે. ત્યારે આ
કથિત ભરતી કૌભાંડમાં અરવલ્લી પોલીસે ધનસુરાના એક શિક્ષકની અટક કરી હતી. પરંતુ આ
શિક્ષકની ૯ કલાક લાંબી પુરપરછ બાદ કોઈ પુરાવા કે કડી નહી મળતાં આખરે આ શિક્ષકનો
છુટકારો થયો હતો.આ મામલે પોલીસે ત્રણ ટીમો બનાવીને જુદી જુદી દીશામાં તપાસનો
ધમધમાટ શરૃ કર્યો છે.
ઊર્જા વિભાગના
જેટકોમાં જુનીયર ઈજનેરોની પરીક્ષા પૂર્વે જ આ ઓનલાઈન પરીક્ષામાં વ્યાપક ગેરરીતીઓ
આચરાઈ હોવાનું અને અગાઉની ભરતી પ્રક્રિયામાં પણ કૌભાંડની આશંકાને પગલે અરવલ્લી
પોલીસે જુદીજુદી ૩ ટીમોની રચના કરી આ વિવાદી પ્રકરણે તપાસ હાથ ધરી હતી.અને આ
કૌભાંડના કથિત આરોપી એવા ધનસુરાના શિક્ષક અરવિંદભાઈ પટેલ ઘરે ચા પી રહયા હતા
ત્યારે જ અટક કરાઈ હતી.પરંતુ આ શિક્ષકની ૯ કલાકની લાંબી પુછપરછ અને સઘન તપાસ બાદ
પણ અરવલ્લી પોલીસને કોઈ પુરાવા કે કડી નહી મળતાં મંગળવારે આ શિક્ષકને અટકાયતમાંથી
છોડાયા હતા.ેઆ ઉર્જા વિભાગના કથીત ભરતી કૌભાંડ ઉજાગર કરાયા બાદ બુધવારના રોજ
જિલ્લાભરમાં તરહ તરહની ચર્ચાઓ ઉઠી હતી.જેમાં ધનસુરા તાલુકાના એક ગામમાં એક જ
પરીવારના પાંચ જણા અને ગામના ૭ થી ૮ જણા
વીજ વિભાગમાં તાજેતરમાં નોકરી લાગ્યા હોવાની ઉઠેલી ચર્ચાઓએ ચકચાર મચાવી હતી.
વર્ષ ૨૦૧૮માં ટાટ પરીક્ષાના લીકેજ કાંડ મોડાસા ટાઉન પોલીસ
સ્ટેશને ગુનો નોંધાયો હતો
રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યોજાયેલી સ્પર્ધાત્મક
પરીક્ષાઓ પૂર્વે પેપર લીકેજ કાંડની કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જેમાં વર્ષ
૨૦૧૮માં રાજય પરીક્ષા બોર્ડ યોજીત શિક્ષક અભિરૃચી કસોટી(ટાટ) પરીક્ષાના હિન્દી
વિષયનું સેટ-૫ નું પ્રશ્નપત્ર પરીક્ષા પૂર્વે લીક થયું હોવાની ઘટનાને લઈ મોડાસા
ટાઉન પોલીસ સ્ટેશને બોર્ડના સચિવની ફરીયાદ બાદ ગુનો નોંધાયો હતો.


