Gujarat
આણંદ: પાટીદાર આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ
By GS Team
24 Jan 20191 min read
This article was originally published on 24 Jan 2019

આંણદ, તા. 24 જાન્યુઆરી 2019, ગુરુવાર
પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરાઈ છે.
આણંદ પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી પાટીદાર આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી છે. ગોપાલ સામે વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો
ગોપાલ ઈટાલીયા અગાઉ સરકારી કર્મચારી રહી ચુક્યો છે. ગોપાલ પહેલા મહેસુલ ખાતામાં ક્લાર્ક હતો અને ત્યાર બાદ પોલીસ વિભાગમાં નોકરી કરી હતી. પાટીદાર આંદોલન સમયે નોકરી છોડી દીધો હતી.
ગોપાલે ઈટાલીયાએ અગાઉ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો. આંદોલન સમયે તેના મેસેજવાળા વીડિયો આગની જેમ વાઈરલ થયા હતાં.




