- ખરીફ પાકની સિઝનના ટાણે જ ખેડૂતોને વધુ એક ફટકો
- 50 કિલોના પેકેટના રૂપિયા 735 ના બદલે હવે 775 ચુકવવા પડશે
જિલ્લામા ઓછા વરસાદની સ્થિતિ વચ્ચે કયારડાઓમા પાણીના અભાવે ભાલ સહિતના પંથકમા ડાંગરના વાવણીકાર્યમાં વિલંબ વર્તાઇ રહ્યો છે.સાથોસાથ પિયતના અભાવે ખરીફપાકોને પાણી ન મળતા સુકારાની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે બીજી તરફ ચોમાસુઋતુની વિપરીત સ્થિતિને લઇને હાલમાં ખેતીકાર્યોમાં પણ ખાતરની જુજ અનિવાર્યતા વર્તાઇ રહી છે.
જોકે સલ્ફેટ ખાતરના ભાવોમા ૪૦ રૂપિયાનો વધારો સર્જાતા છેલ્લા લાંબા સમયથી ખેતીકાર્યોમાં નુકશાન અને આર્થિક મંદીનો માર વેઠી રહેલા ખેડૂતોને ભાવવધારો કમ્મરતોડ સાબિત થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. જોકે ખરીફપાકો માટે વિશેષતઃ યુરિયા ખાતરની જરૂરિયાત વર્તાઇ રહેતી હોઇ આગામી દિવસોમા યુરિયા ખાતરની માંગમાં વધારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઇ રહી છે.


