Get The App

વિદ્યાનગર શહેર અને બોરસદ તાલુકામાં કેટલાક વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

- કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા

- પ્રતિબંધિત વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ કરનારા સામે પગલાં લેવાશે : પોલીસ ફરિયાદ પણ થઇ શકે છે

Updated: Jun 26th, 2020

GS TEAM

Google News
Google News
વિદ્યાનગર શહેર અને બોરસદ તાલુકામાં કેટલાક વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર 1 - image


આણંદ,તા. 25 જૂન 2020, ગુરુવાર

કોરોના વાયરસ કોવિડ-૧૯ ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ-(૨)ની વિગતો જાહેરનામાંથી સુચના બહાર પાડવામાં આવેલ છે. 

વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ, આર.જી.ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ-૨ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

તે મુજબ નીચે જણાવેલ વિસ્તારો કોવિડ-૧૯ના કન્ટેઈનમેન્ટ એરીયા (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવે છે. વિદ્યાનગર નગરપાલિકા અંતર્ગત આવેલ (૧) વોર્ડ નં.૨ હરિઓમનગર, લાલચાલી વિસ્તારમાં આવેલ ગલીમાં સામ-સામે રોહાઉસમાં આવેલ મકાન નં.૬૧ થી મકાન નં.૮૦ (કુલ-૨૦ મકાનો)નો વિસ્તાર તથા (૨) વોર્ડ નં.૪, પ્લોટ નં.૧૦૦૩, મકાન નં.૪, આઈ.બી.પટેલ પ્રાથમિક શાળાની પાછળ, શ્રી એપાર્ટમેન્ટની સામે, નાના બજાર, વલ્લભ વિદ્યાનગરના મકાનની ગલીના આગળના ૪ મકાનો અને પાછળના ૩ મકાનો મળી કુલ-૭ મકાનોનો વિસ્તાર તેમજ બોરસદ તાલુકા વહેરા ગ્રામ પંચાયત અંતર્ગત આવેલ બેવરી હિલ્સ સોસાયટીના મકાન નં.૨૨ થી ૨૫ (કુલ-૪ મકાન)નો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. આ હુકમની બજવણી વ્યક્તિગત રીતે કરવી શક્ય ન હોઈ એક તરફી હુકમ કરવામાં આવે છે.

તમામ વિસ્તારમાં આવવા-જવા માટેના રસ્તા પર સ્ક્રીનિંગ કરવાનું રહેશે

આ તમામ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ઃ૦૦ કલાકથી સાંજના ૭ઃ૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. આ હુકમ તા.૨૩/૬/૨૦૨૦થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Tags :