Get The App

અમદાવાદમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે નવચંડી યજ્ઞ કરાયો, મિશન સફળ થાય તે માટે કરી પ્રાર્થના

આજે વિશ્વની નજર ચંદ્રયાન-3 પર છે

ભારત માટે આજનો દિવસ ખુબ જ ખાસ

Updated: Aug 23rd, 2023

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે નવચંડી યજ્ઞ કરાયો, મિશન સફળ થાય તે માટે કરી પ્રાર્થના 1 - image


આજે ભારત માટે ઐતિહાસિક દિવસ છે. આજે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડિંગ કરશે જેને લઈને અમદાવાદ સહિત અનેક જગ્યાએ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે અમદાવાદમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે નવચંડી યજ્ઞ કરાયો, મિશન સફળ થાય તે માટે કરી પ્રાર્થના 2 - image

વિશ્વની નજર ચંદ્રયાન-3 પર છે

ભારત માટે આજનો દિવસ ખાસ છે અને આજે વિશ્વની નજર ચંદ્રયાન-3 પર છે, ત્યારે દેશની સાથે વિશ્વભરમાં વસતા ભારતીયો ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી રહ્યા છે. અલગ-અલગ ધર્મના હોવા છતાં, લોકો દેશ માટે એકઠા થઈ રહ્યા છે અને તેમની માન્યતાઓ અનુસાર પુજા-પાઠ તેમજ હવન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિશેષ આહુતિ આપવામાં આવી હતી. 

અમદાવાદમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે નવચંડી યજ્ઞ કરાયો, મિશન સફળ થાય તે માટે કરી પ્રાર્થના 3 - image

સોસાયટીના લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી

આજે સાંજે ચંદ્રયાન ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કરશે તેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં પણ ઠેર-ઠેર સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના કાકરિયા નજીક આવેલી ચંદ્રપ્રકાશ સોસાયટીમાં પણ એક નવચંડી યજ્ઞ આજે બપોરે વિજય મુહુર્તમાં કરવામાં આવ્યો હતો અને આ યજ્ઞમાં વિશેષ આહુતિ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સોસાયટીના લોકોએ સામૂહિક રીતે બે હાથ જોડીને ચંદ્રયાન-3નું લેન્ડિંગ સફળ થાય તે માટે પ્રાર્થના કરી હતી. 

Tags :