પરિણીતાને સુરત રહેવું હોવાથી લાગી આવતા ગળાફાંસો ખાધો
Updated: May 6th, 2024
- પતિ સાથે સુરતથી સિહોર રહેવા આવેલ
- સુરત ખાતે કામધંધો બરાબર નહીં ચાલતા પરિવાર સિહોર રહેવા આવ્યો હતો
સિહોર : પતિ સાથે સુરતથી સિહોર રહેવા આવેલ પરિણીતાને સુરત રહેવું હોવાથી લાગી આવતા ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર સિહોરમાં ખાડિયા વિસ્તારમાં રહેતા રાજુભાઈ કાળુભાઈ મેર (ઉ.વ.૪૫)એ સિહોર પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું હતું કે, પોતાના પત્ની મીરાબેન રાજુભાઈ મેર (ઉ.વ.૪૫)એ આજે બપોરે ૧.૪૫ વાગ્યા પહેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.
મૃતક મીરાબેન અને તેના પતિ રાજુભાઈ બંને પરિવાર સાથે પાંચ મહિના પહેલા સુરત ખાતે રહેતા હતા. ત્યાં ધંધો બરાબર ચાલતો ન હોવાથી મૃતક તેના પતિ સાથે સિહોર રહેવા આવી ગયા હતા. પરંતુ મૃતક મીરાબેનને સુરતમાં રહેવું હોઈ જેથી લાગી આવતા તેણીએ ઘરે ગળાફાંસો ખાઈ આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવથી ભારે અરેરાટી સાથે આઘાત છવાયો હતો.
Gujarat