For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યવતમાલમાં ટ્રક અને ટ્રેલર ટકરાતાં 2નાં મોત

Updated: May 3rd, 2024

યવતમાલમાં ટ્રક અને ટ્રેલર  ટકરાતાં   2નાં મોત

અકસ્માતમાં 3ને ઈજા

આઈશર ટ્રકમાં લઈ જવાતા 70 બકરાના પણ મોત

મુંબઇ :  યવતમાલમાં આયશર ટ્રક અને ટ્રેલર વચ્ચે ટક્કર થતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતો. તો ત્રણ લોકો ઘાયલ થયા હતા.આ ઉપરાંત અકસ્માતમાં આઈશર ટ્રકમાં રહેલા ૭૦ બકરાઓના પણ મોત થયા હતા. 

યવતમાલના ઉમરી સાયખેડા ખાતે માલવાહક આઈશર ટ્રક અને ટ્રેક્ટર ટ્રેલર વચ્ચે અથડામણ થતાં  ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  એટલો જોરદાર હતો કે આઈશરમાં સવાર ૭૦ બકરાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી બકરા માલિકને મોટું નુકસાન થયું હતું.

આ અકસ્માતમા ં ટ્રકમા ં સવાર બે લોકોના પણ મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતાં. આ અથડામણ એટલો ભયંકર હતો ક ે બંને  વાહનોનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ માહિતી મળતા જ પાંઢરકવડા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે  પહોંચી  ગઈ હતી અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.

 રમિયાન અકસ્માતની જાણ થતાં જ  સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે  ોડી આવ્યા હતા અને મ  ની પહેલ કરી હતી. તેમજ  ઈજાગ્રસ્ત બકરાઓને આઈશર ટ્રકમાંથી બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે મોટી સંખ્યામાં બકરાઓ પહેલાથી જ મૃત્યું પામ્યા હોવાનું  નોંધાયું હતું.


Gujarat