For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રીન્કુ કે ગિલનો કોઈ વાંક નહોતો, રોહિતને...: પસંદગી પર ઉઠતાં સવાલ પર અગરકરે આપ્યો જવાબ, જુઓ શું કહ્યું

Updated: May 3rd, 2024

રીન્કુ કે ગિલનો કોઈ વાંક નહોતો, રોહિતને...: પસંદગી પર ઉઠતાં સવાલ પર અગરકરે આપ્યો જવાબ, જુઓ શું કહ્યું

Image: Facebook

T20 World Cup 2024: ભારતીય પુરુષ સીનિયર ટીમના મુખ્ય સેલેક્ટર અજીત અગરકરે આખરે રિન્કુ સિંહને ટી20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યની ટીમમાં પસંદ ન કરવાને લઈને મૌન તોડ્યું છે. રિન્કુને IPL 2024ની સિઝન બાદ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં થનારા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી અને તેને રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો. રિન્કુને ટીમમાં સામેલ ન કરવા પર ખૂબ વિવાદ થયો હતો. હવે અગરકરે આ વિશે વાત કરતાં કહ્યું કે રિન્કુની કોઈ ભૂલ નહોતી.

તાજેતરના મહિનાઓમાં ફિનિશર તરીકે સ્થાન બનાવનાર રિન્કુ સિંહનું 15 સભ્યની ટીમમાં સ્થાન ન બનાવી શકવાને કારણે ખૂબ પ્રશ્ન કરવામાં આવ્યા હતા. ટીમની પસંદગી પહેલા લગભગ દરેક ક્રિકેટ નિષ્ણાતની ટીમમાં સામેલ રહેલા રિન્કુ રિઝર્વ ખેલાડી તરીકે ટીમની સાથે જશે. રિન્કુ ભારતીય ટીમ માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને તેણે પોતાની આક્રમક બેટિંગથી તમામનું ધ્યાન ખેંચ્યુ હતુ. માનવામાં આવી રહ્યું હતુ કે રિન્કુ 15 સભ્યની ટીમમાં હશે પરંતુ તે આવુ કરી શક્યો નહીં.

રિન્કુને ટીમમાં સામેલ ન કરવો સૌથી મુશ્કેલ નિર્ણય

ટી20 વર્લ્ડ કપને લઈને ભારતીય ટીમની પસંદગીને લઈને ગુરુવારે મુંબઈ સ્થિત BCCI મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ થઈ. તેમાં અગરકરની સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ સામેલ થયો. અગરકરને જ્યારે રિન્કુને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે તેને સૌથી મુશ્કેલ નિર્ણય ગણાવ્યો. અગરકરે કહ્યું, રીન્કુ કે ગિલનો કોઈ વાંક નહોતો. રોહિતને વધુ વિકલ્પ માટે ટીમમાં સ્પિનર જોઈતા હતા. આવો જ મામલો અક્ષર માટે પણ છે જે એક બેટિંગ ઓલરાઉન્ડર છે. અમે વિચાર્યું કે તે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ અમારા માટે અઘરું હતું, પરંતુ દિવસના અંતમાં અમારે ટીમ પસંદ કરવાની હતી. 

Gujarat