શેત્રુંજી ડેમમાંથી ઉનાળુ પાક માટે પાણી છોડવા આયોજન ઘડાયું
Updated: Nov 17th, 2021
- જિલ્લાના 4 તાલુકાને સાંકળતી કેનાલોમાં
- આગામી મહિનામાં સિંચાઇ સલાહકારની બેઠક મળશે અને સંભવતઃ જાન્યુ.થી પાણી છોડાશે
આ અંગે મળતી વિગતો મુજબ ઉતરાયણ પછી ઉનાળુ પાક માટે પાણીની માંગણી ઉઠતી હોય છે અને જાન્યુઆરીથી મે માસ સુધી તબક્કાવાર અને માંગ પ્રમાણે પાણી છોડાતું હોય છે. શેત્રુંજી ડેમના ડાબા જમણા બન્ને કાંઠાની નહેરો પાલિતાણા, તળાજા, મહુવા, ભાવનગર અને ઘોઘાને સાંકળતા હોય છે. જો કે, આ વર્ષે ચોમાસુ સારૂ રહેતા શિયાળુ પાક શરૂ છે ત્યારે ઉનાળુ પાક માટે આગામી માસમાં સિંચાઇ સલાહકારની મિટીંગ નિયત કરાઇ છે. ત્યારબાદ દોઢેક માસના સમયગાળા બાદ ૫૦ ટકા ફોર્મ ભરાતા નિયત તારીખથી પ્રથમ પાણ કોરવાણ પાણ ૧૫ થી ૩૦ દિવસ છોડવામાં આવશે અને બાદમાં જરૂરીયાત મુજબ વિવિધ પાણમાં પાણી છોડવામાં આવશે તેમ જણાયું છે. આમ ઉનાળુ પાક પણ ખેડૂતો સારી રીતે મેળવી શકે તે માટે સિંચાઇ વિભાગ દ્વારા હાલ તૈયારીઓ શરૂ કરાઇ છે.