For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાષ્ટ્રીય પાર્ટી બન્યા પછી AAP ને શું ફાયદો થશે, સમજો વિસ્તારથી

હાલ ભાજપ, કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, TMC, NCP, CPIM, CPM અને BSP સહિત ચૂંટણી પંચ દ્વારા માત્ર 8 રાજકીય પક્ષોને માન્યતા મળી છે

Updated: Dec 9th, 2022

Article Content Image

અરવિંદ કેજરીવાલે જ્યારે 10 વર્ષ પહેલા વર્ષ 2012માં AAP બનાવી હતી, તે સમયે તેનું અસ્તિત્વ કેટલું ટકશે તેના પર પ્રશ્નાર્થ હતો. જો કે છેલ્લા વર્ષો દરમિયાન તેમણે પોતના કદમાં ઘણો વધારો કર્યો છે. એક દશક પહેલા શરૂ થયેલી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની શકે છે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

જ્યારે આ પાર્ટી શરૂ કરવામાં આવી હતી, તે પહેલા અરવિંદ કેજરીવાલને લોકો આવકવેરા અધિકારી , RTI કાર્યકર્તા અને વર્ષ 2011માં અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના નેતા તરીકે જ ઓળખાતા હતા. આ પછી છેલ્લા 10 વર્ષમાં ભારતીય રાજકારણમાં ભાજપ સૌથી મજબૂત પક્ષ તરીકે ઉભરી, અને રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું પતન શરૂ થયું. આ રાજકીય પરિબળ વચ્ચે AAP ચૂપચાપ પોતાનું કામ કરતી રહી અને આજે તે રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી આવી છે.

કેવી રીતે AAP રાષ્ટ્રીય પાર્ટી બની શકે છે ?
ભારતમાં રાષ્ટ્રીય પક્ષની શ્રેણીમાં આવવા માટે કોઈપણ પાર્ટી પાસે ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની 2 ટકા બેઠકો એટલે કે લોકસભામાં 11 સીટો હોવી જોઈએ. હજુ સુધી AAP પાસે લોકસભામાં એકપણ સાંસદની બેઠક નથી પરંતુ રાજ્યસભામાં 3 સાંસદો સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને ક્રિકેટર હરભજન સિંહને છે.

આ સિવાય એક કેટેગરી એવી છે કે જો કોઈ પાર્ટી 4 રાજ્યોમાં સ્ટેટ પાર્ટી કેટેગરીમાં જોડાય છે અથવા તો તેને માન્યતા મળે છે તો તે નેશનલ પાર્ટી કેટેગરીમાં આવી શકે છે. રાજ્ય પક્ષની શ્રેણીમાં જોડાવા માટે, કોઈપણ પક્ષને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 6 ટકા મત અથવા 2 બેઠકો મળવી જરૂરી છે. જો તેની વોટ શેરિંગ 6 ટકાથી ઓછી હોય તો તેને 3 સીટો પર જીત મળવી જરૂરી બને છે.

આ રીતે જોવામાં આવે તો રાષ્ટ્રીય પક્ષની શ્રેણીમાં સામેલ થવા માટે આમ આદમી પાર્ટીનો સ્કોર પૂર્ણ થઈ ગયો છે. દિલ્હીમાં પૂર્ણ બહુમતની સરકાર ત્યારબાદ પંજાબમાં પણ સરકાર બનાવી છે. ગોવામાં 6 ટકા વોટ શેર મેળવ્યો જે બે સીટો જીતવાનો મુદ્દો પૂરો કરે છે. આ પછી ગુજરાતની ચુંટણીમાં  પાર્ટીને 12.92 ટકા વોટ શેર મળ્યા છે.

રાષ્ટ્રીય પક્ષ બન્યા પછી 'AAP' કેટલું બદલાશે?

  • આમ આદમી પાર્ટીનું ચૂંટણી ચિન્હ ઝાડુ (સાવરણો) છે તે આખા ભારતમાં સમાન રહેશે. ચુંટણી ચિન્હ બદલી શકાતું નથી. 
  • તેમની પાસે વધુમાં વધુ 40 સ્ટાર પ્રચારકો હોઈ શકે છે, તેમની મુસાફરીનો ખર્ચ ઉમેદવારોના ખાતામાંથી લઈ શકાય નહીં. એટલે કે, જો આ સ્ટાર પ્રચારકોમાંથી કોઈ પક્ષના ઉમેદવારના પ્રચાર માટે જશે તો ઉમેદવાર તેનો ખર્ચ ચૂકવશે નહીં.
  • રાષ્ટ્રીય પક્ષોને સામાન્ય ચૂંટણી દરમિયાન દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારણ અને પ્રસારણનો દરજ્જો મળે છે.
  • જ્યારે રાષ્ટ્રીય પક્ષ જાહેર થાય છે, ત્યારે તેને તેના પક્ષનું મુખ્યાલય બનાવવા માટે સરકારી જમીન મળે છે.
  •  માન્ય રાજ્ય અથવા રાષ્ટ્રીય પક્ષનું નામાંકન દાખલ કરવા માટે માત્ર એક પ્રસ્તાવકની જરૂર છે.

 હાલ કેટલી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા મળેલી છે??

જો આપણે રાષ્ટ્રીય પક્ષોની વાત કરીએ તો, તેમાં AAP હજી સુધી સામેલ નથી થઇ. ભાજપ, કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, TMC, NCP, CPIM, CPM અને BSP સહિત ચૂંટણી પંચ દ્વારા માત્ર 8 રાજકીય પક્ષોને માન્યતા મળી છે.

તેમાંથી જો એનસીપી, ટીએમસી, સીપીઆઈ અને બીએસપીની વાત કરીએ તો તેઓ હજુ પણ તલવારની ધાર પર ચાલી રહ્યા છે કારણ કે ચૂંટણી પંચે આ તમામ પક્ષોને નોટિસ પાઠવીને કહ્યું છે કે, શા માટે તે પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવી જોઈએ???  તેના જવાબમાં આ પક્ષોએ કહ્યું કે અમને 2024ની લોકસભા ચૂંટણી સુધી છૂટ આપવામાં આવે અને આ પ્રક્રિયા હજુ બાકી

મમતા બેનર્જીની ટીએમસી પાસે પૂરતા લોકસભા સાંસદો છે પરંતુ તે બધા પશ્ચિમ બંગાળના છે, એનસીપી હવે મહારાષ્ટ્ર સુધી સીમિત છે. આ સિવાય સીપીએમ કેરળ કે ત્રિપુરામાં જ સક્રિય છે. તો ત્યાં સીપીઆઈ પોતાના નસીબ પર બેઠી છે. જો આ પાર્ટીઓ પોતાનું સ્ટેટસ ગુમાવશે તો આમ આદમી પાર્ટીની સ્થિતિ અલગ દેખાશે. ખાસ કરીને જ્યારે ભાજપ અને કોંગ્રેસ સામે લડવા માટે ત્રીજો વિકલ્પ શોધવો પડે.

Gujarat