For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેંગલોરના એર શોમાં બે વિમાનો ટકરાયાં

- જો કે બંનેના પાઇટલ સુરક્ષિત છે

- સૂર્યકિરણ વિમાનો ભારતીય હવાઇદળનો હિસ્સો છે

Updated: Feb 19th, 2019

બેંગલોર તા.19 ફેબ્રુઆરી 2019 મંગળવાર

બેંગલોરમાં ચાલી રહેલા ભારતીય હવાઇ દળના એર શો દરમિયાન આજે સવારે સૂર્યકિરણ પા્ંખના બે વિમાનો પરસ્પર ટકરાયાં હોવાનું જાણવા મળ્યું હતું.

જો કે બંનેના પાઇલટ સુરક્ષિત હોવાનું હવાઇ દળના પ્રવક્તાએ કહ્યું હતું. સૂર્યકિરણ વિમાનો ભારતીય હવાઇ દળના એક્રોબેટિક ટીમના સભ્યો છે.

પાઇલટોને ટ્રેનિંગ આપવા માટે અને આ પ્રકારના એર શોમાં હવાઇ દળના વિવિધ એક્રોબેટ્સ દેખાડવા માટે આ વિમાનો વપરાય છે.

ટકરાયેલાં બંને વિમાનો ફોર્મેશનની આઇટમ રજૂ કરી રહ્યાં હતાં ત્યારે ટકરાઇ ગયાં હતાં. ફોર્મેશન ટીમમાં આ જૂથના નવ વિમાનો સાથે ઊડી રહ્યાં હતાં.

Gujarat