પાક. પર બાજ નજર રાખવા જાસુસી સંસ્થાના અધિકારી રાજનાથસિંહને મળ્યા
Updated: Feb 16th, 2019
પાકિસ્તાની આતંકવાદના સફાયા માટે ભારત પણ તૈયારી કરી રહ્યું છે. જેના ભાગરુપે ભારતની મોટી જાસુસી સંસ્થાઓના ટોચના અધિકારીઓની એક બેઠક ગૃહ પ્રધાન રાજનાથસિંહના નિવાસ સ્થાને મળી હતી.
આ દરમિયાન એક ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે કે જેને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એપએટીએફ)ને સોપવામાં આવશે. આ એક એવી બોડી છે કે જે આતંકવાદીઓને મળનારા ફંડને અટકાવે છે. આ બેઠકમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓમાં કોણ કોણ હુમલામાં સામેલ હતું તેની પણ ચર્ચા થઇ હતી.
આ ઉપરાંત આગામી રણનીતી ઘડવામાં આવી છે. પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇ પર પણ નજર રાખવામાં આવશે અને પાકિસ્તાનની દરેક પ્રકારની ગતીવીધી પર ધ્યાન આપવામાં આવશે જે અંગે પણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
Gujarat