રામજન્મભૂમિ વિવાદની સુપ્રીમમાં સુનાવણી 26મી ફેબ્રુઆરીએ થશે
- પાંચ જજની ખંડપીઠનો નિર્ણય
- અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદા સામે થયેલી 14 અપીલની સુનાવણી સુપ્રીમની પાંચ જજની બેંચ કરશે
Updated: Feb 21st, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર
અયોધ્યાના રામજન્મભૂમિ બાબરી મસ્જિદના જમીન વિવાદના કેસની સુનાવણી સુપ્રીમમાં પાંચ જજની બનેલી બેંચ ૨૬મી ફેબુ્રઆરીથી કરશે તેમ આજે જણાવ્યું હતું.
રામજન્મભૂમિ વિવાદ કેસ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એસ એ બોબડે, ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ એ નઝીરની બેંચ આ સુનાવણી કરશે. અગાઉ કોર્ટે ૨૭મી જાન્યુઆરીએ સુનાવણી રદ કરી હતી. ત્યારબાદ ૨૯મી જાન્યુઆરીએ જજ બોબડે ઉપલબ્ઠધ નહોતા. હવે આ કેસ ૨૬મી ફેબુ્રઆરીએ સુનાવણીમાં આવશે.
ઉલ્લેખનીય છે કે અલ્લાહાબાદ હાઇકોર્ટના વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડવાના ચુકાદા સામે ૧૪ અપીલ થઇ છે. સુપ્રીમાં આ ૧૪ અપીલની સુનાવણી થશે.
અયોધ્યા વિવાદની સુનાવણી માટે જાન્યુઆરીમાં પાંચ જજની ખંડપીઠ ફરીથી નક્કી થઇ હતી.
દરમિયાન કેન્દ્ર સરકારે વિવાદિત જમીન સિવાયની ૬૭ એકર જમીન જે મૂળ માલિકોને પરત કરવા અરજી કરી હતી. તેના સપ્તાહ બાદ તેને પડકારતી અરજી પણ થઇ હતી.