For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક પર હુમલાનુ જેગુઆર વિમાનોએ કર્યુ રેકોર્ડિંગ, લેસર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ

Updated: Feb 26th, 2019

નવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર

પુલવામા હુમલાનો બદલો લેવા માટે મોદી સરકારે વાયુસેનાના મિરાજ-2000 વિમાનોનો હુકમના એક્કા તરીકે ઉપયોગ કરીને આખા દેશને સુખદ આશ્ચર્ય આપ્યુ છે.

આ હુમલા અંગે  ધીરે ધીરે જે વિગતો બહાર આવી રહી છે તે જોતા લાગી રહ્યુ છે કે બહુ ચોકસાઈપૂર્વક પ્લાનિંગ કરીને હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગતો પ્રમાણે સચોટ નિશાન લેવા માટે મિરાજ 2000ના પાયલોટોએ લેસર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો.લેસર ગાઈડેડ બોમ્બ ધાર્યુ નિશાન પાર પાડી શકે છે.

એવુ પણ બહાર આવ્યુ છે કે મિરાજ-2000 વિમાનો જ્યારે આ હુમલાને અંજામ આપી રહ્યા હતા ત્યારે વાયુસેનાના અન્ય પ્રકારના ફાઈટર પ્લેન જગુઆર પણ સાથે જ ઉડાન ભરી રહ્યા હતા.તેમણે આ હુમલાનુ રેકોર્ડિંગ પણ કર્યુ છે.

Gujarat