For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આસામના લઠ્ઠાકાંડમાં મોતને ભેટેલા લોકોની સંખ્યા વધીને 59

Updated: Feb 23rd, 2019

ગુવાહાટી,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર

આસામના ગોલાઘાટ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મોતને ભેટનારા લોકોની સંખ્યા 59 પર પહોંચી છે.બીજા 200 થી વધારે લોકો બીમાર છે.હજી પણ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

ભાજપના ધારાસભ્યે કહ્યુ હતુ કે 250થી વધારે લોકોએ ગુરુવારે એક જ દુકાનમાંથી દારુ ખરીદીને પીધો હતો.આ તમામ લોકો ચાના બગીચામાં કામ કરનારા શ્રમજીવીઓ હતા.

આ મામલામાં બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે.મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.જ્યારે બે એક્સાઈઝ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઝેરી દારુ પીધા બાદ તબિયત લથડવાના કારણે લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ત્યારે 12 લોકોને તો ડોક્ટરોએ તે જ સમયે મૃત જાહેર કર્યા હતા.

Gujarat