For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પૂર્વ પત્નીએ કહ્યું કે, ઈમરાનખાન પાક સેનાની કઠપૂતળી છે

Updated: Feb 20th, 2019

નવી દિલ્હી,તા.20.ફેબ્રુઆરી 2019, બુધવાર

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને તેમની પૂર્વ પત્ની રેહમ ખાનને સેનાની કઠપૂતળી ગણાવ્યા છે.

રેહમ ખાને કહ્યુ હતુ કે પુલવામા હુમલા અંગે નિવેદન આપતા પહેલા તે સેનાના નિર્દેશની રાહ જોઈ રહ્યા હતા. ઈમરાનખાને પોતાના સિધ્ધાંતો સાથે સમાધાન કરીને સત્તા મેળવી છે. હું એક મિનિટ માટે પણ વિચારી શકતી નહોતી કે તેઓ આવુ કરશે. અમે ચૂંટણી દરમિયાન કટ્ટરવાદી સંગઠનોનુ વર્ચસ્વ જોયુ છે અને ઈસ્લામાબાદમાં પણ તોફાનો થતા જોયા છે. ઈમરાનખાન ધર્મનિંદાના કાર્ડનો પણ બખૂબી ઉપયોગ કરી રહ્યા છે.

રેહમે કહ્યુ હતુ કે ઈમરાનખાનને જે શિખવાડવામાં આવ્યુ છે તે જ તે કરી રહ્યા છે.જો તે એવો દાવો કરતા હોય કે કાર્યવાહી કરશું તો તેના પર અમલ કરવો પડશે.એમ પણ અમારો દેશ ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં બ્લેક લિસ્ટ થવાના રસ્તે છે. પાકિસ્તાને પુલવામા આતકંવાદી હુમલા બાદ કોઈ તો કાર્યવાહી કરવી જ જોઈએ. એટલા માટે નહી કે ભારતના વડાપ્રધાન કહી રહ્યા છે એટલા માટે પણ એટલે કે આવી કાર્યવાહી પાકિસ્તાનના હિતમાં છે. ભલે જૈશ સાથે પાકિસ્તાની સરકારનુ કનેક્શન ના હોય પણ તેની સામે કોઈ એક્શન નથી લેવાતા તે તો હકીકત છે.

ઈમરાને ગઈકાલે શેખી હાંકતા કહ્યુ હતુ કે જો પાકિસ્તાન પર હુમલો કરાયો તો તેનો પાકિસ્તાન જવાબ આપશે.ભારત સરકાર કોઈ પણ પૂરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવી રહી છે. ભારત સરકારને અમે પહેલા જવાબ નહોતો આપ્યો કારણકે પાકિસ્તાનનુ તંત્ર સાઉદી અરબના પ્રિન્સની મુલાકાતમાં વ્યસ્ત હતુ.

ઈમરાને કહ્યુ હતુ કે ભારત સરકાર જો કોઈ પૂરાવા આપે તો પાકિસ્તાન તપાસ માટે તૈયાર છે. પંદર વર્ષથી આતંકવાદ સામે પાકિસ્તાન પણ જંગ લડી રહ્યુ છે. અમને આતંકવાદી હુમલો કરાવીને કોઈ ફાયદો નથી. દરેક વખતે કાશ્મીરમાં હુમલો થાય છે ત્યારે પાકિસ્તાન પર દોષારોપણ કરવામાં આવે છે. આતકંવાદ પર વાતચીત કરવા માટે પણ અમે તૈયાર છે. અમે તેને ખતમ કરવા માગીએ છે કારણકે પાકિસ્તાનને આતંકવાદથી ભારે નુકસાન થયુ છે.

ઈમરાનખાને કહ્યુ હતુ કે એક નવી વિચાર સરણી અપનાવવી જરુરી છે. કાશ્મીરમાં યુવાનોને હવે મોતનો ડર નથી લાગતો. અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરમાં પણ નક્કી થઈ ગયુ છે કે લશ્કરી કાર્યવાહીથી સમસ્યાનો ઉકેલ નહી આવે. કાશ્મીર મામલે વાતચીત કરી પડશે.

Gujarat